નેત્રંગ તાલુકામાં વાદયછાયા વાતાવરણની સાથે વરસાદી છાટાથી ખેડુતોના જીવ અધ્ધર

- ગતરોજના સાંજના સમયે વરસાદી છાટા પડ્યા હતા,સોયાબીન અને કપાસનો ઉભો પાક નષ્ટ-નાબુદ થવાની શક્યતાઓ
- દિવાળીને ગણતરીના દિવસો બાકી,પરંતુ મેધરાજાની બેટિંગ યથાવત
- નેત્રંગ તાલુકામાં વાદયછાયા વાતાવરણની સાથે વરસાદી છાટાથી ખેડુતોના જીવ અધ્ધર થઇ ગયા હતા,
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના સાતપુડા ડુંગરના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં આ વષૅ મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ચારેય તરફ જળબંબાકારી સ્થિતિ ઉદભવતા જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું,અને મેધરાજા ઓક્ટોબર માસના અંત સુધી એટલે કે દિવાળી તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યાં સુધી પોતાની બેટિંગ ચાલુ રાખતા ધરતીપુત્રોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ જણાઇ રહ્યું છે.
મેધરાજા ગમે ત્યારે વરસી આકાશમાંથી વરસી પડે તેવી શક્યતાઓ જણાઇ રહી છે, અને મોસમ વિભાગ ધ્વારા ૨૨-૨૩ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેમાં ગતરોજ સાંજના સમયે નેત્રંગ ટાઉન સહિત તાલુકાભરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાટા સાથે સરેરાશ વરસાદ થયાના અહેવાલ મળતા ખેડુતોના જીવ અધ્ધર થઇ ગયા હતા,અને મોસમ વિભાગના જણાવ્યા મુજબ જો આગામી સમયમાં મામુલી વરસાદ પડે તો ખેતરમાં ઉભા સોયાબીન અને કપાસનો પાક નષ્ટ-નાબુદ થઇ શકે છે,જ્યારે ઉભા સોયાબીનના પાકને ખેડૂતો હાડૅવેસ્ટરથી કાઢાવાની તૈયારી કરી રહ્યા છે,પરંતુ વાદયછાયા વાતાવરણ રહેતા અને વરસાદી છાટા પડતા ખેડુતો અસમંજસની સ્થિતિમાં મુકાઇ ગયા છે.
રિપોર્ટ : દિવ્યાંગ મિસ્ત્રી (નેત્રંગ)