રાજકોટ : સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો

રાજકોટ : સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો
Spread the love

રાજકોટ

રાજકોટ શહેરના એસ.ટી.બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં બુધવારે પીએસઆઇ પી.પી.ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતાં તેને મળવા આવેલા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું. ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યાનું અને સર્વિસ રિવોલ્વર નવા કવરમાં નાખતી વખતે ફાયર થઇ ગયાનું ફોજદારે રટણ રટ્યું હતું. સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો. પીએસઆઇ ચાવડા વિરૂદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. હિમાંશુના પિતા દિનેશભાઇએ જણાવ્યું હતું કે, લાશ તો નહીં જ લઇએ, મારા દીકરાની હત્યા કરવામાં આવી છે.સિવિલ હોસ્પિટલમાં મહિલાઓનુંઆક્રંદહિમાંશુના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં લાશ નહીં લેવા માટે અડગ બન્યા છે.

પોલીસ પણ સમજાવી રહી છે પરંતુ લાશ સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી છે. મહિલાઓ ચોધાર આંસુએ રડતા રડતા પીએસઆઇ વિરૂદ્ધ રોષ વ્યક્ત કરી મીડિયા સમક્ષ જણાવી રહી છે કે, અમારા દીકરા, ભાઇને મારી નાંખ્યો છે.હિમાંશુના પરિવારે હત્યાનો ગુનો દાખલ કરવા માંગ કરીમૃતક હિમાંશુના પરિવારે જ્યાં સુધી પીએસઆઇ ચાવડા વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ તેવી માંગ કરી છે. પીએસઆઇની બેદરકારીને કારણે યુવાનનો ભોગ લેવાયો હોય પોલીસે તે અંગેની પણ કલમનો ઉમેરો કરી ગુનો નોંધ્યો છે. તેમજ હિમાંશુના પરિવાર દ્વારા આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી ધરણા કરવાની તૈયારી દર્શાવી છે.

વન-ડે ક્રિકેટ મેચની ટિકિટ ખરીદનું કહી હિમાંશુને ફોન કરીને પોલીસ ચોકીએ બોલાવ્યો હતોપીએસઆઇ ચાવડાને સકંજામાં લઇ પૂછપરછ કરતાં તેણે કેફિયત આપી હતી કે, હિમાંશુ ગોહેલ માલવિયા ચોકમાં આવેલા પ્રમુખસ્વામી આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્પા ચલાવતો હોય તેના પરિચયમાં હતો, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન-ડે ક્રિકેટ મેચની પાંચ જેટલી ટિકિટ પોતાને ખરીદ કરવી હોવાથી હિમાંશુને ફોન કરીને પોલીસ ચોકીએ બોલાવ્યો હતો. સાંજે ચારેક વાગ્યે રૈયારોડ પરથી પોતે સર્વિસ રિવોલ્વર રાખવાનું નવું પાકીટ (વોલેટ) ખરીદ કર્યું હતું અને જૂના વોલેટમાંથી રિવોલ્વર કાઢી નવા પાકીટમાં નાખી રહ્યા હતા તે વખતે ભૂલથી ફાયરિંગ થઇ ગયું હતું. રિવોલ્વરમાંથી ફાયર થયું એ સમયે જ હિમાંશુએ ચોકીનો દરવાજો ખોલ્યો હતો અને તેના કપાળમાં ગોળી ઘૂસી ગઇ હતી. ફોજદારની રિવોલ્વર પાંચ કાર્ટિસથી લોડેડ હોવાનું ખુલ્યું હતું.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!