જૂનાગઢ શિવરાત્રી મેળા દરમ્યાન પોલીસ દ્વારા ગુનેગારો ઉપર નજર

જૂનાગઢ શિવરાત્રી મેળા દરમ્યાન પોલીસ દ્વારા ગુનેગારો ઉપર નજર
Spread the love

જૂનાગઢ પોલીસ દ્વારા *જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ ખાતે તાજેતરમાં યોજાનાર શિવરાત્રી મેળા માં લાખોની સંખ્યામાં સાધુ સંતો અને ભાવિ ભક્તો આવનાર હોઈ તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોઈ,* હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ, *જડબેસલાક બંદોબસ્ત* ગોઠવવામાં આવેલ છે.

જૂનાગઢ રેન્જના ડી,આઈ, જી, મનીંદર પ્રતાપસિંહ દ્વારા શિવરાત્રી મેળાની સુરક્ષા માટે 02 આઇપીએસ, 09 ડીવાયએસપી, 19 પોલીસ ઇન્સ., 67 પોલીસ સબ ઇન્સ., 920 પોલીસ સ્ટાફ સહિત 570 હોમગાર્ડ, 458 જીઆરડી, 54 ટ્રાફિક જવાનો, 140 મહિલા પોલીસ તેમજ 03 એસઆરપી કંપની મળી, કુલ આશરે 3,000 અધિકારીઓ તથા પોલીસ સ્ટાફને ખાસ તૈનાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત કુલ 30 જેટલી રાવટી, હથિયારધારી પોલીસ ગોઠવવામાં આવેલ છે. સમગ્ર મેળા બંદોબસ્તમાં મેટલ ડિટેક્ટર રાખી, તેમજ અમદાવાદ વડોદરાથી ખાસ બેગેજ સ્કેનર મંગાવી, લુખતત્વોનું સામાનનું ચેકીંગ કરવા માટે ખાસ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર અને જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ શિવરાત્રી મેળા દરમ્યાન જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, કેશોદ ડિવિઝન ડીવાયએસપી જે.બી. ગઢવી, હેડ ક્વાર્ટર ડીવાયએસપી આર.વી. ડામોર, ડીવાયએસપી એચ.એસ.રતનું, પ્રોબ. ડીવાયએસપી એમ. ડી.બારીયા, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. આર.સી. કાનામિયા, સ્પેશિયલ ઓપરેશન ગૃપના પી.આઇ. એન.બી.બારોટ, ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી. ધોકડીયા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ખાસ મેળા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

મેળા બંદોબસ્તમાં વોચ ટાવરની વ્યવસ્થા કરી, દૂરબીન, વોકિટોકી સાથે માણસો રાખી, ખાસ વોચ રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર વિસ્તારમાં પ્રવેશતા માર્ગો ઉપર વાહન ચેકીંગ માટે ચેક પોસ્ટ* ઉપર પોલીસના માણસો દ્વારા ખાસ *વાહન ચેકીંગ* હાથ ધરવામાં આવેલ છે.

જૂનાગઢ પોલીસ દ્વારા મેળાની ભીડમાં ચોરી, પિક પોકેટિંગ, છેડતી, કેફી પીણું પી ને ફરતા લુખ્ખા તત્વો, જેવા બનાવો રોકવા તેમજ ગુન્હેગારોને ઓળખવા ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. તેમજ ડી સ્ટાફની પોલીસને ખાસ સાદા કપડામાં તૈનાત કરી, ગુન્હેગારો ઉપર વોચ રાખવા મેળા દરમ્યાન ગુન્હેગારો ઉપર નજર રાખવા બહારના જિલ્લાઓની ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને પણ ખાસ ફરજ ઉપર બોલાવવામાં આવેલ છે.

ડીવાયએસપી પ્રદીપસિંહ ના જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ ગિરનાર સીવરાત્રી મેળો મિનીકુંભ જાહેર કરેલ હોય ભારતભરના અને દેશ વિદેશના લાખોલોકો આવતા હોય આ મેળો પાંચ દિવસ ચાલવાનો હોય શિવરાત્રી મેળા દરમ્યાન જૂનાગઢ પોલીસ બધી ચુનોતી માટે તયાર છે તેમાટે જૂનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને ગુમ થયેલાં માણસો, બાળકો અને મહિલાઓ માટે ખાસ સ્કવોડ ની રચના કરવામાં આવેલ છે. એક, એક પોઈટ ઉપર જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, યાત્રાળુઓ મેળામાં નિર્ભય રીતે ફરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

રિપોર્ટ : મહેશ કથીરિયા (જૂનાગઢ)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!