છેલ્લા દશ વર્ષથી ઉચાપતના ગુન્હાના આરોપીને શોધી કાઢતી સુરેન્દ્રનગર LCB

- શ્રી નાગડકા જુથ સેવા સહકારી મંડળી ના મંત્રી સને – ૨૦૦૪ થી ૨૦૧૦ દરમ્યાન મંડળીમાંથી કુલ રૂ . ૫ , ૮૩ , ૦૬ , ૧૫૧ / – ની ઉચાપત કરી છુમંતર થઇ જતા દશ વર્ષના અંતે અમદાવાદ મેધાણીનગરમાંથી ઝડપાયો
શ્રી સંદીપ સિંધ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓની સીધી સુચના મુજબ હે . પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી , શરીર સબંધી તથા ઉચાપત , છેતરપીંડીના ગુન્હાઓ કરી નાસતા ફરતા ગુન્હેગારોને તાત્કાલીક ઝડપી પાડવા સારૂ અલગ અલગ ટીમો બનાવી અસરકારક કાર્યવાહી કરવા શ્રી ડી . એમ . ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ . સી . બી . સુરેન્દ્રનગર નાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપેલ.
જે અન્વયે શ્રી ડી . એમ . ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ . સી . બી . નાઓની સીધી સુચના મુજબ એલ . સી . બી . પો . સબ . ઇન્સ . શ્રી વી . આર . જાડેજા સાહેબ તથા એલ . સી . બી . ટીમ દ્વારા લાંબા સમયથી ગુન્હો કરી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે ખાસ કવાયત હાથ ધરવામાં આવેલ.
સાયલા પો . સ્ટે . ફસ્ટ ગુ . ર . નં – ૧૨૧ / ૨૦૧૦ ઇ . પી . કો કલમ – ૧૯૨ , ૧૯૬ , ૪૦૪ , ૪૦૬ , ૪૦૮ , ૪૦૯ , ૪૧૮ , ૪૨૦ , ૪૬૬ , ૪૬૭ , ૪૬૮ , ૪૭૦ , ૪૭૧ , ૪૭૨ , ૪૭૪ , ૪૭૫ , ૪૭૭ ( ક ) , ૧૨૦ ( બી ) , ૧૧૪ ના કામે શ્રી નાગડકા સેવા જુથ સહકારી મંડળીના મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ દુધનાથસિંહ ગૌતમ જાતે . રાજપુત રહે . સાયલા સ્વસ્તિક સોસાયટી વાળાએ સને – ૨૦૦૪ થી સને – ૨૦૧૦ ના સમયગાળા દરમ્યાન પોતાના મંત્રી તરેકના હોદાનો દુરઉપયોગ કરી ખોટા પુરાવા તથા દસ્તાવેજો ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી , તેમજ મૃતખેડુતોના ખોટા ધીરાણો ઉભા કરી, સભ્યો બાકીદારો હોવા છતા ખોટા નોડયુસર્ટીઓ આપી , બેન્કના હીતને ગેરકાયદેસર રીતે નુકશાન પહોચાડી તેમજ ઠગાઇ કરવાના ઇરાદાથી ખોટા દસ્તાવેજો સાચા તરીકે ઉપયોગ કરી, સેવા સહકાર બેન્ક સાથે ગુન્હાહિત વિશ્વાતધાત . છેતરપીંડી , ઠગાઇ કરી નાણાકીય ગોટાળા ગેરરીતી તથા બોગસ ધીરાણ કરી કુલ રૂ . ૫ , ૮૩ , ૦૬ , ૧૫૧ / – ની ઉચાપત કરી ગુન્હો કરેલ અને સને – ૨૦૧૦ થી ગુન્હો કર્યા બાદ સાયલા છોડી નાશી ભાગી ગયેલ હોય , મજકુર આરોપીની પો . સ . ઈ શ્રી સાયલા દ્વારા સાયલા મુકામે તથા આરોપીની પુત્રી અમદાવાદ બાપુનગર ખાતે રહેતા હોય તે જગ્યાએ તેમજ આરોપીના સાળા ગોધરા મુકામે રહેતા હોય તે જગ્યાએ તેમજ આરોપીના મુળ વતન રામગઢ ગામ જી . જોનપુર ઉતરપ્રદેશ મુકામે તપાસ કરી કરતા આરોપી મળી આવેલ નહી કે આરોપી બાબતે કોઇ ફળદાયક હકીકત મળી આવેલ નહી , જેથી તપાસમાં ચાલુ રહેવાની શરતે વર્ગ અ સમરી ભરવામાં આવેલ , તેમજ ત્યારબાદ પણ આરોપીના દિકરા , પત્ની , દિકરીઓ , સાળા , કુટુંબીજનોની સધન પુછપરછ કરવા છતા આરોપી મળી આવેલ નહી .
આ કામનો આરોપી ગુન્હો કર્યા બાદ લાંબા સમયથી નાસતો ફરતો હોય , તેમજ આરોપીના પરીવારના માણસો આરોપી બાબતે સાચી હકીકત છુપાવતા હોવાની શંકા જતા શ્રી ડી. એમ. ઢોલ સાહેબ પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ ખાનગી બાતમીદારો સક્રીય કરી તેમજ પો.સ.ઇ શ્રી વી. આર. જાડેજા સાહેબને તાબાના સ્ટાફ મારફતે મજકુર આરોપી શોધી કાઢવા , સુચના કરી જરૂરી માર્ગદર્શન આપી , હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તેમજ ટેકનીકલ સોર્સ આધારે તપાસ શરૂ કરવામાં આવેલ. આરોપી સાથે સંકળાયેલ ઇસમોના મોબાઇલ કોલ ડીટેઇલનો ઉંડાણપુર્વક અભ્યાસ કરવામાં આવેલ, આરોપી અમદાવાદ વિસ્તારમાં હોઇ શકે ? તેવી હકીકત મળતા તે દીશામાં પણ ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવેલ.
ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોસિસ તેમજ તાબાના સ્ટાફ મારફતે તે દિશામાં તપાસ આરંભવામાં આવેલ . આમ સતત અને સખત ઉડાણપુર્વકની તપાસના અંતે ચોકકસ હકીકત મળેલ કે આરોપી રાજેન્દ્રસિંહ દુધનાથસિંહ ગૌતમ જાતે . રાજપુત હાલે અમદાવાદ શહેર મેધાણીનગર વિસ્તારમાં છુપાઇને રહેતો હોય જેથી પો.સ.ઇ શ્રી વી. આર. જાડેજા તથા એલ સી બી સ્ટાફની ટીમ બનાવી અમદાવાદ મેધાણીનગર વિસ્તાર સર્ચ કરવામાં આવેલ મેધાણીનગર વિસ્તારની તપાસ દરમ્યાન મજકુર આરોપી ભાર્ગવ રોડ , ભાર્ગવ ટેનામેન્ટમાં ૧૦૯ નંબરમાં રહેણાંક મકાનમાં રહેતો હોવાની ચોકકસ હકીકત જણાઇ આવતા એલ.સી.બી. ટીમ દ્રારા રાત્રીના સમયે યોગ્ય પોલીસ ટીમ સાથે બાતમી હકીકત વાળા રહેણાંક મકાને છાપો મારતો આરોપી બિન્દાસ્ત સુતેલી હાલતમાં મળી આવતા , મજકુરને પકડી પ્રાથમીક પુછપરછ કરતા પોતાનું નામ રાજેન્દ્રસિંહ દુધનાથસિંહ ગૌતમ જાતે . રાજપુત ઉવ . ૬૭ હાલ રહે . ૧૦૯ , ભાર્ગવ ટેનામેન્ટ , ભાર્ગવ રોડ , મેધાણીનગર અમદાવાદ શહેર વાળો તથા પોતે સાયલા પો . સ્ટે . ફસ્ટ ગુ.ર.નં – ૧૨૧/૨૦૧૦ ઇ . પી કો કલમ – ૪૦૬, ૪૦૮, ૪૦૯, ૪૨૦ વિ મુજબનો ગુન્હો કર્યા બાદથી આજદીન સુધી નાસતો ફરતો હોવાની કબુલાત આપતા મજકુર ઇસમને અમદાવાદ થી લાવી આગળની કાર્યવાહી અર્થે સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે .
રેડીંગ પાર્ટી
એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી. એમ. ઢોલ સાહેબ તથા પો.સ.ઇ શ્રી વી. આર. જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિવાલરસિંહ તથા વાજસુરભા લાભુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો . હેડ . કોન્સ. જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભાઇ તથા પો. કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા ટેકનીકલ સેલના પો. સબ. ઇન્સ. શ્રી એ. એસ. નાયર તથા પો કોન્સ. ગીરીરાજસિંહ ઝાલા તથા જયદીપભાઇ રાવલ એ રીતેની ટીમ દ્વારા છેલ્લા દશ વર્ષથી ઉચાપતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવામાં આવેલ છે .
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)