રાજકોટ : આંબેડકરનગરમાં રહેતા એસટીના નિવૃત કર્મચારી છરીનો ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધા

રાજકોટ શહેર આંબેડકરનગરમાં રહેતા નિવૃત એસટીના કર્મચારીના ઘરમાં ઘુસી છરીનો એક ઘા ઝીકી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ.
રાજકોટ શહેર તા.૭.૩.૨૦૨૦ રાજકોટ શહેર માં વધતી જતી ગુનાખોરી અટકાવવામાં પોલીસ સદંતર નિષ્ફળ નીવડી રહી છે. ત્યારે જાન્યુઆરી મહિનાના અપહરણના બનાવમાં જેલહવાલે થયા બાદ સમાધાન થતા મુક્ત થયેલા ભગવતિપરાના શખ્સે ત્રણ મિત્રોની મદદથી ફરિયાદનો ખાર રાખી આંબેડકરનગરમાં રહેતા નિવૃત એસટીના કર્મચારીના ઘરમાં ઘુસી છરીનો એક ઘા ઝીકી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી. જો કે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી સગીર સહીત ત્રણ આરોપીઓને ઝડપી લઇ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા એસટીના નિવૃત કર્મચારી કરશનભાઇ નથુભાઈ મકવાણા નામનાં ૬૫ વર્ષીય વૃદ્ધને સાંજે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલે ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતા માલવીયાનગર પી.આઇ.ચુડાસમા અને ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલે દોડી ગયા હતા. અને હત્યાના બનાવ અંગે પૌત્રી સ્નેહાની ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે મૃતકને સંતાનમાં બે દીકરાઓ છે મહેન્દ્ર અને જીતેન્દ્ર જે પૈકી જીતેન્દ્રનું આઠેક વર્ષ પહેલા મર્ડર થયું હતું.
બે દીકરીઓ સ્નેહા અને સોનુ બંને આ દાદા સાથે રહેતી હતી. અને ભણતી હતી. જાન્યુઆરી મહિનામાં સોનુ જે સગીર હોય તેનું પ્રનગર વિસ્તારમાંથી અપહરણ થયું હતું. જેમાં આરોપી તરીકે ભગવતીપરાના જય પ્રકાશનગરમાં રહેતા સુરેશ ઉર્ફે વિસુ મોહનભાઇ મુછડીયાનું નામ હતું. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો. અને બાદમાં છૂટી જતા તેણે આ અંગે સમાધાન કરી લીધું હતું. પરંતુ ફરિયાદ કર્યાનો ખાર રાખી સુરેશ તેના અન્ય 3 સાગરીતો સૂરજ ઉર્ફે સુરીયો અનિલભાઈ અજરણદાસ ચૌહાણ તથા બે મિત્રોને લઈને સાંજે ઘરે ગયો હતો.
ઘરમાં ઘુસી સુરજે ગળું પકડી રાખી અન્ય બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારી સુરેશે છરીનો એક ઘા સાથળમાં ઝીકી દીધો હતો. કરશનભાઈએ દેકારો કરતા અંદરના રૂમમાં વાંચતી સ્નેહા દોડીને બહાર આવી હતી. અને દાદાને બચાવવા વચ્ચે પડતા તેને પણ છરીનો ઘા મારતા તેને હાથની આંગળીમાં ઇજા થઇ હતી. અને તમામ હુમલાખોરો નાશી છૂટ્યા હતા. માલવીયાનગર પી.આઇ.ચુડાસમા પી.એસ.આઇ જે.એસ.ચંપાવત. પરેશભાઈ જરિયા. વેલુભા ઝાલા. અરુણભાઈ બામ્ભણીયા. દિગપાલસિંહ જાડેજા. ભાવિનભાઈ ગઢવી. યુવરાજસિંહ જાડેજા. ભાવેશભાઈ ગઢવી. હરપાલસિંહ જાડેજા. મશરીભાઇ ભેટારીયા. અને દેવાભાઇ ધરજીયા સહિતનાઓએ રાતોરાત સુરેશ, સૂરજ અને એક સગીર સહીત ત્રણને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અને નાશી છૂટેલા વધુ એકની શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)