થરાદમાં ચુસ્તપણે લોકડાઉન, ગરીબ પરિવારોની હાલત સૂડી વચ્ચે સોપારી

વિશ્વમાં ફાટી નીકળેલ કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર ભારત 14મી એપ્રિલ સુધી લોકડાઉન છે, ત્યારે થરાદમાં પણ લોકડાઉનનું ચુસ્તપણે પાલન વચ્ચે ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે, કોરોના વાયરસને કારણે લોકડાઉન અતિ આવશ્યક છે પરંતુ ભારતભરમાં લોકડાઉન જાહેર કરતાં દિવસભર રોજગારી મેળવી સાંજે માંડ માંડ રોટલો રળતા પરિવારોને હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બનતા ગરીબ પરિવારોને પુરતું બે ટંક ભોજન મળી રહે તે માટે સરકાર પાસે અપેક્ષા રાખી બેઠા છે.
ગરીબ પરિવારોને પુરતું ભોજન ન મળતા શ્રેહા મહિલા વેલફેર ટ્રસ્ટના જયશ્રીબેન ચૌધરી તેમજ કાશ્મીરાબેન ઠક્કર દ્વારા ગરીબ પરિવારોને બિસ્કીટ વિતરણ કરી કોરોના વાયરસ સંદર્ભે માહિતી આપી ગરીબ પરિવારોને માહિતગાર કર્યા હતા, જોકે ગરીબ પરિવારોને પુરતું બે ટંક ભોજન ન મળતા બિસ્કીટ વિતરણ કરવા ગયેલ શ્રેહા મહિલા વેલફેર સમક્ષ ગરીબ પરિવારોએ પોતાની વેદના ઠાલવી આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ