અંબાજીથી આબુરોડ માર્ગ પર વાહનો પર પથ્થરમારો , 2 ઘાયલ

અંબાજીથી આબુરોડ માર્ગ પર વાહનો પર પથ્થરમારો , 2 ઘાયલ
Spread the love

ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું શક્તિપીઠ અંબાજી ગુજરાત નું નંબર વન શક્તિપીઠ છે હાલ મા ચોમાસા ની ઋતુ હોઈ લોકો અંબાજી અને આબુ ફરવા જતા હોય છે ત્યારે વરસાદ ના વાતાવરણ મા પહાડી વિસ્તાર મા નદી નાળા મા પાણી વહેતા થયા છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે બીજી તરફ અંબાજી થી આબુરોડ માર્ગ પર હાલ મા પહાડો પર થી પથ્થરો પડી રોડ પર આવી ગયા છે અને મંગળવારે રાત્રે અંબાજી આબુરોડ માર્ગ પર વાહનો પર પથ્થરો મારવાની ઘટના થઇ હતી જેમા 2 લોકો ઘાયલ થયા હતા.

અંબાજી થી આબુરોડ માર્ગ પર સિયાવા અને સુરપગલા ગામ ની વચ્ચે આ રોડ પર થી જઈ રહેલા વાહન ચાલકો પર પથ્થરો મારવાની ઘટના બની હતી જેમા એક ટ્રક ચાલક અને એક બાઈક ચાલક પથ્થરો વાગવાથી ઘાયલ થયા હતા , આ સિવાય અહીં થી પસાર થતા 7 – 8 વાહનો પર અજાણ્યા લોકો એ પથ્થરો માર્યા હતા જેમાં વાહન ચાલકો ના ગાડી ના કાચ તૂટ્યા હતા . સુરપગલા ના રહેવાસી વેલા ભાઈ સકુરા ભાઈ ગરાસીયા પોતાની બાઈક લઇ ઘરે આવતા હતા ત્યારે તે પણ પથ્થર વાગવાથી ઘાયલ થયા હતા જયારે એક ટ્રક ચાલક ને માથે પથ્થર વાગવાથી ઘાયલ થયા હતા.

માર્ગો પર પથ્થરો મૂકી આડશો કરાઈ હતી
અંબાજી થી આબુરોડ માર્ગ પર સિયાવા અને સુરપગલા ગામ વચ્ચે રાત્રી ના સમયે રોડ વચ્ચે પથ્થરો ની આડાશો પણ મુકાઈ હતી તેવી વાત ત્યાં થી પસાર થતા લોકો એ કરી છે ઘટના ની જાણ રાજસ્થાન છાપરી પોલીસ ઘટના સ્થળે આવી ઘાયલો ને તાત્કાલીક આબુરોડ સરકારી હોસ્પીટલ ખસેડયા હતા અને માર્ગો પર થી પથ્થરો હટાવ્યા હતા અને પથ્થરો મારવા વાળા લોકો ની તપાસ કરી રહ્યા છે.

IMG-20200819-WA0031-1.jpg IMG-20200819-WA0030-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!