અમરેલી ખાતે ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત અંતર્ગત સાયક્લોથોનમાં સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો

અમરેલી ખાતે ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત અંતર્ગત સાયક્લોથોનમાં સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો
ડીડીઓશ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત હેલ્થ વિભાગના સ્ટાફમિત્રો પણ સાયકલ રેલીમાં જોડાયા
અમરેલી : રાજ્યના દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવે, શારિરીક રીતે તંદુરસ્તી જળવાય રહે તે માટે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત જિલ્લાથી ‘ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન’નો શુભારંભ થતા સમગ્ર રાજ્ય સહિત અમરેલીમાં પણ “સાયકલ ચલન થકી બીનચેપી રોગથી મુક્તિ” સુત્ર હેઠળ સાયકલ રેલીનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે. એચ. પટેલના હસ્તે રેલીને ફ્લેગઓફ કરાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. સાયક્લોથોનમાં જિલ્લાના મોટા ભાગના સેન્ટરો ખાતે તમામ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો, પેટા આરોગ્ય કેંદ્રો, આરોગ્ય કેંદ્રો, અને અર્બન આરોગ્ય કેંદ્રો દ્વારા જિલ્લાના વિવિધ સાઈકલીંગ કલબ, હેલ્થ વિભાગના ડોકટરો, કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ, સરકારી કર્મચારીઓ, સિનિયર સીટીઝન અને બાળકો વગેરે સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.