સાવરકુંડલા ના પત્રકારો એ ચંદુભાઈ સંઘાણી ને બુકે આપી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના એમડી અને દિલીપ સંઘાણીના લઘુબંધુ ચંદુભાઈ સંઘાણીએ સાવરકુંડલા માનવ મંદિર સાદાઈથી પોતાનો જન્મદિવસ ઉજવ્યો તેમજ અમરેલીમાં ચાલતી મહિલા વિકાસ ગૃહ ની 40 બહેનો સાથે સાવરકુંડલામાં મંદિરે આવી અને પોતાનો જન્મદિવસ ઉજવી સાંજનું ભોજન કરાવ્યું. ચંદુભાઈ સંઘાણી છેલ્લા ઘણા વર્ષથી પોતાનો જન્મદિવસ અમરેલી માં આવેલ મહિલા વિકાસ ગૃહ ની બહેનો સાથે સાદાઈથી ઊજવે છે પરંતુ આ વર્ષે સાવરકુંડલાની મનોરોગી બહેનો સાથે ઉજવવાનું નક્કી કર્યું જોકે ચંદુભાઈ સંઘાણી અવારનવાર આ મનોરોગી આશ્રમની મુલાકાત લે છે અને જેનું કોઈ નથી એવા નિરાધાર બહેનો માટે પોતાના પરિવાર અને પોતે ઘણું યોગદાન આપી રહ્યા છે આ પ્રસંગે માનવ મંદિર ના પૂજ્ય ભક્તિ બાપુ તેમજ સાવરકુંડલાની અમરેલીના હિતેચ્છુઓએ ચંદુભાઈ સંઘાણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી મહિલા વિકાસ ગૃહ ની બહેનો તેમજ ચંદુભાઈ સંઘાણી નો પરિવાર અને માનવ મંદિર ની બહેનોએ સાંથે રાસ ગરબા લીધા તેમજ માનવમંદિર ની બહેનો ને ભોજન પીરસી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અમરેલી અમર ડેરી ના પટેલ સાહેબ રુઝૂલભાઈ ગોંડલીયા તેમજ અમરેલીના મિત્રો અને સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ દોશી સાવરકુંડલા શહેર પ્રમુખ પ્રવિણભાઈ સાવજ ભાઈ સુખ પંડ્યા મંગળુભાઈ ખુમાણ કેશુભાઈ વાઘેલા પ્રવીણભાઈ કોટીલા
સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઇ વેકરીયા ઘનશ્યામ ભાઈ ડોબરીયા અને સાવરકુંડલા ના પત્રકારો એ ચંદુભાઈ સંઘાણી ને બુકે આપી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756