માલધારીઓને ખેડૂત ગણી જમીન વેચાણના વ્યવહારો માન્ય રાખવા માંગ

માલધારીઓને ખેડૂત ગણી જમીન વેચાણના વ્યવહારો માન્ય રાખવા માંગ
Spread the love

માલધારીઓને ખેડૂત ગણી જમીન વેચાણના વ્યવહારો માન્ય રાખવા માંગ

સૌરાષ્ટ્રના સમગ્ર માલધારી સમાજ વતી મોરબી વડવાળા યુવા સંગઠન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

મોરબી : માલધારી વર્ગની સ્થિતિ સુધારવા માલધારીઓને ધરખેડ વટહુકમ મુજબ પુરતા ખેડુતના વર્ગમાં ગણવા અને તેમને માટેની જમીન ખરીદવા દેવી જોઇએ તેમણે જમીન વેચાણ રાખી લીધી હોય ત્યાં તેવા વેચાણો માન્ય રાખી મંજુર કરવા આવી સ્પષ્ટ સુચના આપેલ હોવા છતાં અધિકારીઓ દ્વારા આવા વેચાણ વ્યવહારો મંજુર કરવામાં આવતા નથી અને માલધારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. તેવી ફરિયાદ સાથે સૌરાષ્ટ્રના સમગ્ર માલધારી સમાજ વતી મોરબી વડવાળા યુવા સંગઠન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે.

મોરબી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેનભાઈ રબારીએ મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનો માલધારી સમાજ મહદઅંશે પશુપાલન, ખેત મજુરી અને ખેતી થકી પોતાનું અને પોતાના કુટુંબનું નિર્વાહન કરતો સમાજ છે. પશુપાલન એ ખેતી સાથે સંકળાયેલ પ્રવૃતિ છે. ભૂતકાળમાં માલધારી સમાજને પશુપાલન માટે થઇ એક સ્થળેથી અન્ય સ્થળે ચરીયાણ માટે સ્થળાંતર કરવું પડતું હતું. આ માલધારીઓને એક જ સ્થળ સ્થાયી કરવા માટે થઇ ગૌચર, બીડ અને ખેડવાણ પડતર જમીનો આપવા માટે સંદર્ભ-૨ તળનો ઠરાવ તાત્કાલિક અસરથી કરવામાં આવેલ હતો. સંદર્ભ-૨ તળેના ઠરાવ અનુસાર માલધારી વર્ગની સ્થિતિ સુધારવા માલધારીઓને ધરખેડ વટહુકમની કલમ-૫૪ પુરતા ખેડુતના વર્ગમાં ગણવા અને તેમને માટેની જમીન ખરીદવા દેવી જોઇએ તેમણે જમીન વેચાણરાખી લીધી હોય ત્યાં તેવા વેચાણો માન્ય રાખી મંજુર કરવા આવી સ્પષ્ટ સુચના આપેલ હોવા છતાં અધિકારીઓ દ્વારા આવા વેચાણ વ્યવહારો મંજુર કરવામાં આવતા નથી અને માલધારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. તો આ બાબતે આપની કક્ષાએથી તાત્કાલિક ઠરાવ, પરિપત્રકરી દરેક અધિકારીઓને સુચના આપવાની માંગ કરી છે.

આ ઉપરાંત સન-૧૯૭૩ના ગુજરાત અધિનિયમ ક્રમાંક-૧૬થી સૌરાષ્ટ્ર ધરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-૧૯૪૯ની કલમ-૫૪માં ખેડૂતની વ્યાખ્યામાં સ્પષ્ટપણે જણાવેલ છે કે, જમીનના વેચાણ અથવા પટાને લાગુ પડતી હોય તેટલે સુધી આ કલમના હેતુ માટે ખેડૂત એ સંજ્ઞામાં માલધારી અને ખેતીના કામમાં રાખેલ ભૂમિહીન મજૂરોનો સમાવેશ થશે ઉપરોકત કાયદામાં સ્પષ્ટપણે જણાવેલ હોવા છતાં માલધારીઓને ખેડૂત તરીકે ગણવામાં આવતા નથી. સંદર્ભ-૨ તળેના પરિપત્રમાં ભૂમિહીન માલધારીઓને પશુ નિભાવ માટે જમીન સાંથવા પણ જોગવાઇ કરવામાં આવેલ છે. તેમજ સંદર્ભ-૪ નળના પરિપત્રમાં માલધારી એટલે કે રબારી અને ભરવાડ આવુ સ્પષ્ટ જણાવેલ છે. આમ છતા અધિકારીઓ દ્વારા માલધારીઓ પાસે અલગ-અલગ પુરાવાઓ માંગવામાં આવે છે અને તેમણે ખેડુત હકકથી વંચિતરાખવામાં આવેછે.

ઉપરોકત તમામ પરિપત્રો-ઠરાવો-કમો હોવા છતાં અધિકારીઓ દ્વારા ધ્યાને પણ લેતા માલધારીઓ પાસે નાયબ કલેકટર દ્વારા વિવિધ પુરાવાઓ માંગવામાં આવે છે અને ભૂતકાળમાં જે માલધારીઓએ માલધારી તરીકે જમીન ખરીદ કરી હોય એમના વેચાણવ્યવહારો માન્ય ન રાખી બિન ખેડુત ગણી દંડ કરવામાં આવે છે જે બિલકુલ ગેરબંધારણીય છે. રબારી તથા ભરવાડને ખેડૂત (જન્મજાત) ગણી વેચાણ માન્ય રાખવામાં આવે એવો ઠરાવ પરિપત્ર આપની કક્ષાએથી થઇ જવા સમગ્ર માલધારી સમાજ વતી તેઓએ માંગ ઉઠાવી છે.

રિપોર્ટ: જયેશ બોખાણી)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220203-WA0010.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!