ધ્રોલમાં લેણું વધી જતાં કન્ટ્રક્શનના ધંધાર્થીનો ખાનગી હોટેલ આપઘાતનો પ્રયાસ

જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે સ્વામીનારાયણ ગેસ્ટહાઉસમાં કન્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલ ખસેડાયેલા ધંધાર્થીના નિવેદન મુજબ પોતાના પર લેણું વધી જતાં દવા પી લઇ જીવતર ટુંકાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામે ગોકુલપાર્કમાં રહેતાં ધીરજલાલ નાનજીભાઇ વેગડ (ઉ.વ.68) નામના કન્ટ્રક્શનના ધંધાર્થીએ ગઇકાલે બપોર બાદ ધ્રોલ તાલુકા મથકે આવેલા સ્વામીનારાયણ ગેસ્ટહાઉસમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવના પગલે તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં.
આ બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસે હોસ્પિટલ પહોંચી સારવાર લઇ રહેલાં કન્ટ્રક્શનના વૃધ્ધ ધંધાર્થીનું નિવેદન નોંધ્યું હતું. પોતાના ધંધામાં ખોટ જતાં લેણું વધી ગયું હોવાથી કન્ટ્રક્શનનો ધંધો સારો ચાલતો ન હોવાનું વૃધ્ધે નિવેદન લખાવી અવાર-નવાર નબળા વિચારો આવતા હોય, જેને લઇને પોતે જંતુનાશક દવા પી આપઘાત પ્રયાસ કર્યો હોવાનું નિવેદન પોલીસ સમક્ષ વૃધ્ધે આપ્યું હતું. આ બનાવના પગલે ધ્રોલ પંથકમાં અને ખાસ કરીને કન્ટ્રક્શનના ધંધા અર્થે સંકળાયેલા વર્તુળમાં ચકચાર મચી ગઇ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756