માળીયા હાઈવે પર ભરતનગર પાસે એસટી બસને નડ્યો અકસ્માત

મોરબી : વેણાસર રૂટની એસટી બસને મોરબી માળીયા હાઈવે પર અમરનગર અને ભરતનગર વચ્ચે બપોરના ૨:૦૦ વાગ્યાના અરસામાં અકસ્માત નડ્યો હતો જેમા મોરબીથી વેણાસર તરફ જતી એસટી બસ જીજે ૧૮ જેડ ૧૧૩૨ નંબરની બસ ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમા એસટી બસના ડ્રાઈવર દિલીપભાઈ મકવાણાને પગના ભાગે ફેકચર અને કંડક્ટર ઋત્વિજભાઈ સહિત અન્ય મુસાફરોને નાની એવી ઈજા પહોચી હતી જે તમામ ઈજાગ્રસ્તોને મોરબી સારવાર અર્થે ખસેડ્યાનુ જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને બનાવ મામલે નોંધ કરી વધુ તપાસ હાથ ધરેલ છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756