શહેરાના ખાંડીયા ગામના તળાવમાંથી માટી ચોરી કરવામાં આવતી હોવાની રજુઆતનો મામલો આવ્યો બહાર

તળાવમાંથી માટી ખોદકામ કરતા મશીનો તેમજ માટીનું વહન કરતા વાહનો પણ કંપની દ્વારા હટાવી લેવાયા…
જો કંપની દ્વારા માટી ચોરી નહોતી જ કરવામાં આવતી તો રજુઆત બાદ માટીનું ખોદકામ અને તેનું વહન બંધ કેમ કરવામાં આવ્યું ?
શહેરા તાલુકાના ખાંડીયા ગામના તળાવમાંથી માટી ચોરી કરવામાં આવતી હોવાની રજુઆતનો મામલો સમગ્ર બાબતનો અહેવાલ મીડિયામાં પ્રસારિત થયા બાદ કંપની દ્વારા તળાવમાં માટીનું ખોદકામ બંધ કરાયું તળાવમાંથી માટી ખોદકામ કરતા મશીનો તેમજ માટીનું વહન કરતા વાહનો પણ કંપની દ્વારા હટાવી લેવાયા છે હાલ જો કંપની દ્વારા માટી ચોરી ન હોતી જ કરવામાં આવતી તો રજુઆત બાદ માટીનું ખોદકામ અને તેનું વહન બંધ કેમ કરવામાં આવ્યું કંપની દ્વારા માટી ખોદકામ અને તેનું વહન કરવાનું બંધ કરવામાં આવ્યું છે તેજ બતાવે છે કે કંપની દ્વારા માટી ચોરી કરવામાં આવતી હતી આ બાબતે હજુ સુધી જિલ્લા કલેકટર કે મામલતદાર ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત પણ લેવામાં ન આવી હોવાનો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ને લેખીત રજુઆત કરી છે જ્યારે ધારાસભ્ય જેઠા ભરવાડે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે
રિપોર્ટ :-અલ્હાફિઝ શેખ પંચમહાલ
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756