ગાંધીધામમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકયા તસ્કરો, દુકાનમાં શટર તોડી ચોરો દાગીના ઉડાવી ગયા

ગાંધીધામમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકયા તસ્કરો, દુકાનમાં શટર તોડી ચોરો દાગીના ઉડાવી ગયા
ગાંધીધામ ઓસ્લોની મુખ્ય બજારમાં આવેલી નિકુંજ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરો લાખોના દાગીનાની ચોરી કરી ફરાર(Theft a jewelers shop in Gandhidham ) થયા છે. દુકાન માલિકે દુકાન ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર પડ્યો જોતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
ગાંધીધામ: ઓસ્લોમાં મુખ્ય બજારમાં આવેલ નિકુંજ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ લાખોના દાગીનાની ચોરી કરતા ફફડાટ ફેલાયો છે. ચોર ટોળકીએ શટર તોડી જવેલર્સની દુકાનમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો છે. ચોરોએ જવેલર્સની દુકાનમાંથી લાખોની ચોરી કરી હોવાની જાણકારી મળતા પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી છે.
નિકુંજ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા – લાખોના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના અંગે મળતી વિગતો મુજબ ઓસ્લોમાં આવેલ નિકુંજ જવેલર્સ નામની દુકાન માલિકે ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર પડ્યો હતો. દુકાનમાં રાખેલા ચાંદીના દાગીના ગાયબ હતાં. તેમજ દુકાનનું શટર ખુલ્લું હતું, ચોરી થયાની જાણ દુકાન માલિકે થતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
લાખોના દાગીના ચોરાયા હોવાનો અંદાજ – હાલ જ્વેલર્સની દુકાનમાં લાખોના દાગીનાની ચોરી થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સાથે ચોર ટોળકીને દબોચી લેવા પ્રયાસ હાથ ધર્યા છે. જો કે કુલ કેટલાના દાગીનાની ચોરી થઈ છે તેનો કયાસ કાઢવામાં આવી રહ્યો છે. પરંતુ લાખોના દાગીના ચોરાયા હોવાનો અંદાજ છે
રિપોર્ટ : ભારતી માખીજાણી ગાંધીધામ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756