થરાદ: ધારાસભ્ય ભડોદર ગામે ખેડૂતો ની મુલાકાતે પહોંચ્યા

સરહદી તાલુકા થરાદ માં ખેતરોમાં પાણી ભરાવાના લીધે ખેડૂતો ખેતી કરી શકતા નથી જેના પાણી નિકાલ ની કોઈ વ્યવસ્થા નથી ત્યારે આજ રોજ થરાદ નાં ધારાસભ્ય એ ભડોદર ગામની રૂબરુ મુલાકાત લઈને છેક 2015 થી કેનાલ લીકજ થવાના કારણે આજુબાજુ ના ખેડુતો ના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે ખેડુતો ને ભારે નુકસાન થાય છે ૨૦૦ એકર કરતા વધારે જમીનમાં પાણી ભરાયેલ રહે છે ખેડુતો સાથે મુલાકાત લઈને તેમના પ્રશ્નો સાંભળી ને અધિકારી શ્રી ઓને સુચના આપી હતી તાત્કાલિક પાણી નીકાલ માટે કાચી કેનાલ ને તળાવ સાથે જોડાણ કરવામાં આવે અને કાયમી નીકાલ માટે પાકું સાયફન બનાવવામાં આવે એવી રજુઆત કરી હતી ખેડુતો ને થયેલા નુકસાન નું વળતર ચુકવવા માટે અપિલ કરી હતી સાથે ઉચ્ચ અધિકારીઓ જોડે સમગ્ર પ્રશ્ન ની ચર્ચા કરી ને એમણે નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી જો આગામી સમયમાં પગલા લેવામાં નહી આવે તો ખેડુતોને સાથે રાખી ને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવુ થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756