ડભોઇ નગર માં વિજય દેવસુરી જૈન સંઘ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી

જૈન ધર્મના પવિત્ર પર્વ પર્યુષણની પૂર્ણાહુતિ નિમિત્તે આજરોજ ભાદરવા સુદ 7 ના રોજ શ્રી વિજય દેવસૂરિ જૈન સંઘ દ્વારા દર્ભાવતી નગરી માં ભવ્ય શોભાયાત્રામાં કાઢવામાં આવી હતી. ડભોઇ ખાતે છેલ્લા 10 દિવસ થી ચાલી રહેલા જૈન સમાજ ના મહા પર્વ પર્યુષણ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે દર્ભાવતિ તીર્થ માં અતિ પ્રાચીન લોઢણ પાર્શ્વનાથ દાદા ની વિવિધ અંગ રચના કરવામાં આવી હતી.પર્યુષણ પર્વ દરમિયાન દર્ભાવતિ તીર્થ ના તમામ જિનાલય જૈન બંધુઓ દ્વારા શણગારવામાં આવ્યા હતા.જૈન સમાજ ના તપસ્વીઓ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે ઉગ્ર તપસ્યા કરવામાં આવી હતી.જેની પૂર્ણાહુતિ નિમિત્તે વર્ષો ની પરંપરા મુજબ ભાદરવા સુદ 7 ના રોજ ડભોઇ નગર માં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જે શોભાયાત્રા ડભોઇ જૈન વાગા થી નીકળી ડભોઇ નગર ના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી.શોભાયાત્રા માં ઘોડા ગાડી,ઢોલી ,શહેનાઈ,બેન્ડ વાજા,તેમજ ગજરાજ હાથી ની સવારી સાથે ભવ્ય શોભયાત્રા એ ડભોઈ નગર ના માર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું.આ શોભાયાત્રા માં જૈન સમાજ ના મહારાજ,તપસ્વીઓ, તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યા માં જોડાયા હતા.આ પ્રસંગે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા એ દર્ભાવતી નગરીમાં નીકળેલી શોભાયાત્રામાં હાજરી આપી હતી સાથે જ ભાજપ ના વડોદરા જિલ્લા મહામંત્રી ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ, શશીકાંતભાઈ પટેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલભાઈ શાહ,વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756