અમરેલી : રામજીમંદિરે બ્લોક રોડ બનાવવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશ ધાનાણી

અમરેલી શહેરમાં કેરીયા રોડ ઉપર આવેલ રામજીમંદિરે બ્લોક રોડ બનાવવાના કામે ગ્રાંન્ટ ફાળવતા : પરેશ ધાનાણી
અમરેલી શહેરમાં કેરીયારોડ ઉપર રામજી મંદિર આવેલ આવેલ છે, આ જગ્યા ધામિક કાર્યક્રમ, કીર્તન, ભજન જેવા દરરોજ કાર્યક્રમ થાય છે, અને આ જગ્યાએ ચોમાસા દરમ્યાન ખુબ કીચડ થાય છે, અને પાણીનો ભરાવો થાય છે, જેનાથી આ મંદિરે આવતા દર્શાનાર્થીઓને ખુબ મુશ્કેલીઓ પડે છે, આ રામજી મંદિરે બ્લોક રોડ ખુબ જરૂરીયાત હતી, આથી અમરેલી શહેરના કેરીયારોડના રહીશોએ અમરેલીના યુવા ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણી સમક્ષ રજુઆત કરી હતી.,
આથી રજુઆત સાંભળીને તુરંત જ ધારાસભ્યશ્રીની ગ્રાંન્ટમાંથી કેરીયારોડ રામજી મંદિર પાસે બ્લોક રોડ બનાવવાનાના કામે નાણાંની ફાળવણી કરતા અમરેલી શહેરના કેરીયારોડના રામભકતોએ પરેશભાઈ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756