ભાથીજી મંડળ દ્વારા વ્યસનમુક્તિ તેમજ માં બાપ ને ભૂલશો નહિ અભિયાન અંતર્ગત રેલી નું આયોજન

આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે વડોદરા જિલ્લા તેમજ ભરૂચ જીલ્લા ના ભાથીજી મંડળ દ્વારા વ્યસન મુક્તિ તેમજ માં બાપ ને ભૂલશો નહિ અભિયાન સ્વરૂપે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.છેલ્લા 10 વર્ષ થી ભાથીજી મંડળ દ્વારા ચલાવવામાં આવતું અભિયાન અંતર્ગત યુવાઓ ને વ્યસન થી દુર રહેવા સમજણ આપવામાં આવે છે.તેમજ મા બાપ ને ભૂલશો નહિ અભિયાન દ્વારા કૌટુંબિક એકતા જળવાય તે હેતુ થી ગામે ગામ ફરી લોકો ને સમજણ આપવામાં આવે છે.જે ભાગરૂપે આજરોજ ભાથીજી મંડળ દ્વારા વ્યસનમુક્તિ તેમજ માં બાપ ને ભૂલશો નહિ અભિયાન ની રેલી ડભોઇ ખાતે થી નીકળી વાઘોડિયા સાવલી થઈ વડોદરા ખાતે પહોંચશે.આ પ્રસંગે વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ વકીલ દ્વારા ભાથીજી મંડળ નું ડભોઇ ખાતે અભિવાદન કર્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756