ડભોઇ હીરાભાગોળ બહાર આવેલ દરગાહ ની દાનપેટી તોડી ચોરી કરતા તસ્કરો

ડભોઇ હીરાભાગોળ બહાર આવેલ માઇસાબ માં ની દરગાહ પર દાન પેટી તોડી રોકડ રકમ ની ચોરી નો બનાવ બનવા પામ્યો છે.સવાર ની નમાજ ના સમયે દરગાહ ની સાફસફાઈ કરવા આવેલ શ્રધ્ધાળુ ને દાન પેટી તૂટેલી હાલત માં જણાતા દરગાહ ટ્રસ્ટ ને બનાવ અંગે ની જાણ કરી હતી. શિયાળા ની શરૂઆત થતા તસ્કરો ને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ અલગ અલગ જગ્યા ને નિશાન બનાવતા ચોરી ના બનાવો રોજ સામે આવી રહ્યા છે.બે દિવસ અગાઉ ડભોઇ શિનોર ચોકડી ખાતે એ.ટી.એમ તોડવાનો પ્રયાસ થયો હતો ઉપરાંત ડભોઇ ના વાઘનાથ મંદિર પાસે નર્મદા માતા ના મંદિર માં ચોરી નો બનાવ સામે આવ્યો હતો.ચોરો દ્વારા ધાર્મિક સ્થળો ને પણ બાકાત રાખ્યા નથી ત્યારે હવે રાત્રી દરમિયાન પોલીસ પેટ્રોલીંગ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756