ડભોઇ ખાતે સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતિ ઉજવણી કરવામાં આવી

ડભોઇ ખાતે સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જયંતિ ઉજવણી કરવામાં આવી
Spread the love

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજરોજ ગુરુનાનક જંયતિ પૂરી ધાર્મિક ઉત્સાહ સાથે મનાવવા માં આવી હતી. શીખ ધર્મના સંસ્થાપક શીખોના પ્રથમ ગુરૂ ગુરૂનાનકજીના જન્મના ઉપલક્ષમાં દર વર્ષે ગુરૂનાનક જયંતી ઉજવવામાં આવે છે.આજરોજ ગુરૂનાનકજી ની જંયતી ની ડભોઇ સિંધી સમાજ દ્વારા હર્ષોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી તેમજ વડોદરી ભાગોળ સ્થિત ગરૂદ્વારા માં સવારે કથા તેમજ સાંજે ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુરૂનાનકજી નું જીવન પ્રેમ અને સદભાવના ની પ્રેરણા આપે છે. અને તેઓ દ્વારા એક ઓમ કાર સતનામ મંત્ર આપવામાં આવ્યો છે જેનો અર્થ છે કે ઈશ્વર કેવલ એક છે.એવા મહાન ગુરુ ગુરુનાનક જી ની આજરોજ જન્મ જયંતિ નિમિતે સમસ્ત સિંધી સમજ દ્વારા ભક્તિ ભાવ થી ઉજવણી કરવામાં આવી હતી તેમજ સિંધી સમાજ ના પ્રમુખ સુભાષભાઈ ભોજવાણી,તેમજ દિપુભાઈ જાદવાણી,ઘનશ્યામ દુલાણી,તેમજ સંજય દુલાણી (કાલી સિંધી) સહિત ના આગેવાનો દ્વારા ડભોઇ નગરજનો ને ગુરુનાનક જયંતિ ની શુભકામના પાઠવી હતી.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20221108-WA0042.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!