સાબરકાંઠા જિલ્લા પ્રભારી ની જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રથમ બેઠક.

સાબરકાંઠા જિલ્લા પ્રભારી ની જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રથમ બેઠક.
Spread the love

સાબરકાંઠા જિલ્લા પ્રભારી ની જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રથમ બેઠક.

પોઝિટિવ અભિગમ સાથે કામ કરો સાબરકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રેસર રહે સરકાર ગ્રાન્ટ આપે તે છેવાડાના ગામ સુધી પહોંચે તેનું ધ્યાન રાખો
-ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત.
સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર-ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ જિલ્લાની પ્રથમ બેઠક જિલ્લા કલેકટર કચેરી પોળો હોલ ખાતે ચૂંટાયેલા જન પ્રતિનિધિ અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

પ્રથમ બેઠકને સંબોધતા આનંદની લાગણી સાથે અધિકારીઓનો પરિચય અને વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની જિલ્લા વહીવટી તંત્રના વડા જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં થયેલ કામગીરી અંગેનો ચિતાર રજૂ કર્યો હતો
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જણાવ્યું હતું કે, પોઝિટિવ અભિગમ સાથે કામ કરો ટીમ સાબરકાંઠા સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહે અને સરકાર દ્વારા સંબંધિત વિભાગ ને ફાળવવામાં આવતી ગ્રાન્ટ અને સરકારની પ્રજા કલ્યાણની યોજનાઓ છેવાડાના ગામ સુધી પહોંચે તેનું સૌ અધિકારીઓ ધ્યાન રાખે.
આજે અહીં પદાધિકારીઓ અને અધિકારીની હાજરી છે ત્યારે જન પ્રતિનિધિ દ્વારા રજૂઆત કરે તેને ધ્યાનથી સાંભળી પ્રશ્ન ઉકેલ માટે ઠોસ પ્રયાસ કરવા જણાવ્યું હતું.
અહીં ત્રણે જનપ્રતિનિધિઓ ભૂતપૂર્વ મંત્રી રહી ચૂક્યા છે વિશાળ અનુભવ ધરાવે છે. ખોટું હશે તો સ્વીકારશે નહીં પણ તેમના અનુભવનો લાભ જનતાને મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. સૂચન હશે તો પોઝિટિવ લઈને આગળ વધવા જણાવ્યું હતું. સરકાર દ્વારા ફાળવેલ રૂપિયા સો ટકા વપરાય અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ફિલ્ડમાંથી આવતા હોય છે તેને ખરી હકીકત ખબર હોય છે એમ નીતિવિષયક પ્રશ્નો હશે તો સરકારને રજૂઆત કરીને પ્રશ્નોના નિકાલ લાવીશું.
વધુને વધુ આપણા જિલ્લાને ફાયદો થાય તેવા સહિયારા પ્રયાસો હશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારમાં પણ સુધારો કરવા જેવો જણાશે તો ધ્યાન દોરીશું. કોઈપણ પ્રશ્નો વાતને પકડી રાખીશું તો તેનો ઉકેલ નહીં આવે
મંત્રીશ્રીએ જે અધિકારી ગેરહાજર રહ્યા છે તેમના પ્રતિનિધિઓ આવ્યા છે તે યોજના અને પ્રશ્નો વિશે પૂરેપૂરું માહિતગાર હોવા જોઈએ. બેઠકમાં ઉકેલ લાવવા માટે સક્ષમ હોવા જરૂરી છે. ગામડાના પ્રશ્નોનું સમાધાન માટે ગામડે જવું જોઈએ, રાત્રી રોકાણ, ગ્રામસભા જેવા માધ્યમથી ઉકેલ લાવવો પ્રજાને પડતી મુશ્કેલી દૂર કરવા સાથે લોક સંપર્ક રાખો. હકારાત્મક અભિગમ સાથે જિલ્લાની પ્રગતિમાં ભાગીદાર બનો. પ્રથમ બેઠકમાં બીજી મિટિંગ માં સુધારો આવશે તેવી આશા વ્યક્ત કરી હતી

જિલ્લા વહીવટી તંત્રના વડા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરીને જણાવ્યું હતું કે, જન પ્રતિનિધિની રજૂઆત પ્રશ્નોની પ્રાધાન્ય આપીને યોગ્ય નિકાલ લાવી તેમને જાણ કરવા જણાવ્યું હતું અને ઉપસ્થિત સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ, અધિક નિવાસી કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી પાટીદાર, પ્રાયોજના વહીવટદારશ્રી નીનામા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!