શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ખાતે ભાગવત કથા નો શુક્રવાર થી પ્રારંભ

હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી મહંત શ્રી ઘનશ્યામગિરી બાપુ ની પાવન નિશ્રા માં. શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી મહેશભાઈ જોશી ના વ્યાસાસને ભાગવત કથા નો શુક્રવાર થી પ્રારંભ
ખાંભા ગીર ના બાબરપરા શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ખાતે હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી શ્રી ઘનશ્યામગિરીબાપુ ની પાવન નિશ્રા માં શ્રીમદ્ર ભાગવત કથા નો ૨૧ ને શુક્રવાર થી પ્રારંભ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર આશ્રમ બાબરપરા બોરાળા ખાતે બ્રહ્મલિન ગુરુમુખી મહંત શ્રી શિવશરણગિરી બાપુ સેવક સમુદાય આયોજિત તપોમૂર્તિ હઠયોગી ખડેશ્વરી મહંત શ્રી ઘનશ્યામગિરી બાપુ ની પાવન નિશ્રા માં વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રીજી મહેશભાઈ જોશી ભીંગરાડ વાળા ના વ્યાસાસને વૈશાખ સુદ ૧ ને શુક્રવારે તા.૨૧/૦૪/૨૩ ના રોજ પોથી યાત્રા શ્રધ્ધાળુ ભાવિક દેહુરભાઈ ખોડાભાઈ ભમ્મર ના નિવાસ સ્થાન થી પ્રારંભ થઇ કથા પહોંચશે કથા માં આવતા કપિલ જન્મોત્સવ ભગવાન નૃરસિંહજી પ્રાગટય વામન જન્મોત્સવ શ્રી રામ જન્મોત્સવ નંદ ઉત્સવ ગોવર્ધન પૂજન રૂક્ષ્મણી વિવાહ સુદામા ચરિત્ર જેવા દેવ ચરિત્ર પ્રસંગો ની ઉજવણી વેશભૂષા સાથે ભવ્ય ઉજવણી થશે કથા સત્ર રોજ સવારે ૯-૦૦ થી બોપર ના ૧૨-૦૦ બપોર ના ૩-૦૦ થી સાંજ ના ૬-૦૦ કલાક સુધી કથા દરમ્યાન અનેકો નામી અનામી સંતો એવમ સંતવાણી કાર્યક્રમો યોજશે જેમાં લીલીતાબેન ઘોડાદ્રા હરિભાઈ ગઢવી ભગવતીબેન ગોસ્વામી દલસુખભાઈ પ્રજાપતિ સહિત ક્લવૃંદ ઉપસ્થિત રહેશે કથા ની પુર્ણાહુતી આગામી તા.૨૭/૦૪/૩૩ ને ગુરુવાર ના રોજ થશે ખાંભા ગીર ના બાબરપરા બોરાળા ચકાવા ચકાવાપરા દામનગર કંટાળા ખડાધાર ખાંભા સહિત ઘનશ્યામગિરીબાપુ સેવક સમુદાય નું અદભુત આયોજન કથા પૂર્વે તડામાર તૈયારી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300