સમસ્ત મહાજન દ્વારા પાલીતાણામાં અબોલ પશુઓનો સેવા અભિયાન શરૂ

સમસ્ત મહાજન દ્વારા પાલીતાણામાં અબોલ પશુઓનો સેવા અભિયાન શરૂ
Spread the love

સમસ્ત મહાજન દ્વારા પાલીતાણામાં અબોલ પશુઓનો સેવા અભિયાન શરૂ

દરરોજ 700 જેટલા શ્વાનોને જમાડાય છે

વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે પ્રયત્નશીલ સંસ્થા સમસ્ત મહાજન દ્વારા પશુઓનો સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યો. સમસ્ત મહાજન દ્વારા પાલિતાણામાં હજારો અબોલ જીવોની સેવા કરવામાં આવે છે. પાલિતાણામાં આશરે એક હજારથી પણ વધારે કુતરાઓ છે, જે આખો દિવસ ખાવાનું શોધતા રહે છે. પરંતુ તેમના માટે કોઈ વ્યવસ્થા આજ સુધી કરવામાં આવી નથી. સમસ્ત મહાજન દ્વારા આ કૂતરાઓને દરરોજ દૂધ અને બાજરાની રોટલી ખવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર પાલીતાણામાં 100 થી વધુ જગ્યાઓ નક્કી કરવામાં આવી અને પશુઓનાં ભોજન માટે કુંડીઓ મુકવામાં આવી. આ અભિયાન અંતર્ગત કૂતરાઓને 100 લિટર દુધ અને રોટલી ખવડાવવી તેમજ તેમને હડકવા અથવા અન્ય કોઈ બીમારી ન થાય તેના માટે રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. પવિત્ર પાલિતાણામાં અત્યાર સુધીમાં 690 થી વધુ શ્વાનને નિયમિત ધોરણે રોટલી અને દૂધ,છાશ અને ભાત, પૂરી, પૌવા વગેરે જમાડવામાં આવે છે. વર્તમાન સમયમાં બે હજારથી વધુ કૂતરા અને બિલાડીઓ માટે નિયમિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. સમસ્ત મહાજનનાં આ કાર્યમાં નંદપ્રભા ધર્મશાળા, તખતગઢ ધર્મશાળા, RMD જંબુદિપ ધર્મશાળા, પાલનપુર ધર્મશાળા, કેસરિયજી ધર્મશાળા, ભૂરીબા ધર્મશાળા, નવરત્નધામ ધર્મશાળા, વિદ્યાવિહાર ધર્મશાળા, ચેન્નઈ ભુવન, મન શાંતિ ભુવન, ધાનેરા ભુવન, મહારાષ્ટ્ર ભુવન, દક્ષ વિહાર, આત્માનંદ જૈન પંજાબી યાત્રિક ભવન, ખિમંત ભવન, નાકોડા ભવન, ઝાલાવાડ યાત્રિક ભવન, ગિરિવિહાર ભોજનશાળા, શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન ધર્મશાળા, તિલોક્ દર્શન ધર્મશાળા, આગમ મંદિર, ચંદ્ર દીપક ધર્મશાળા, સંઘવી ભેરુ વિહાર, જડાવી ભવન, ગિરીવિહાર ધર્મશાળા, મોહન બાગ ધર્મશાળા, ભરતભાઈ માંડલિયા વગેરે ભોજનશાળાઓનો સહયોગ મળી રહ્યો છે. અત્રે ઉલેખ્ખનીય છે કે હાલમાં જ રાજકોટનાં પ્રખર જીવદયા પ્રેમી ધીરુભાઈ કાનાબાર, દિનેશભાઈ કામદાર સહીતનાઓની ટીમે સમસ્ત મહાજનનાં આ સેવા યજ્ઞની મુલાકાત લીધી હતી.
પાલિતાણામાં અબોલ જીવોની સેવા કરવા માટે એક દિવસનો અંદાજિત ખર્ચ દસ હજાર રૂપિયા છે. આ અબોલ પશુઓની સેવામાં જોડાવવા સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહ (મો.9820020976) અને પરેશભાઈ શાહ (મો.9819301298) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230614_213936.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!