બીજોત્સવ દામનગરથી પ્રસ્થાન શોભાયાત્રા દહીંથરા ગૌશાળા ખાતે પહોંચી

- રામદેવજી નેજો ચડાવતા શ્રધ્ધાળુ ભાવિક ધીરુભાઈ નારોલા પરિવાર
દામનગર શહેર માં ભવ્ય બીજોત્સવ ઉજવાયો શહેર ના બહારપરા વિસ્તાર માં શ્રધ્ધાળુ ભાવિક સ્વ પુનભાઈ કરશનભાઇ પરિવારના પુત્ર રત્ન ધીરુભાઈ નારોલાના ઘેરથી ખૂબ મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો રામદેવજીના નેજા સાથે પ્રસ્થાન થયેલ શોભાયાત્રા ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ દહીંથરા શ્રી અલખઘણી ગૌશાળા પહોંચી રામદેવજી મહારાજ નો નેજો ચડાવ્યો અષાડી બીજના પાવન પર્વ એ દામનગરના બહાર પરા ધીરુભાઈ પુનભાઈ નારોલાના નિવાસસ્થાનથી રામદેવજી નેજા સાથે પ્રસ્થાન ભવ્ય શોભાયાત્રા શહેરના સરદાર ચોક થઈ મુખ્ય રાજમાર્ગો ઉપર શ્રધ્ધાળુ ભાવિકોની વિશાળ હાજરી ધર્મઉલ્લાસ સાથે ફરી દહીંથરા ગૌશાળા સંકુલ ખાતે પહોંચી શ્રી રામદેવજી મહારાજનો ગૌશાળા સંકુલ સ્થિત રામદેવજી મહારાજ ના દેવળ ઉપર નેજો ચડાવ્યો હતો બીજોત્સવ ભવ્ય ઉજવણી કરાય હતી.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા