હિંમતનગર : જવાહર નવોદય પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ શરૂ

- વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ-૬માં પ્રવેશ માટેની જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૪ માટે ઓનલાઈન અરજીઓ કરવા બાબત
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના વિરપુર ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ધોરણ ૬માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ ૨૦.૦૧.૨૦૨૪ના રોજ યોજાનાર છે. ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪ માં સાબરકાંઠા જીલ્લાની કોઈપણ સરકારી/સરકારમાન્ય શાળામાંથી ધોરણ ૫ નો અભ્યાસ કરતા હોય, અને ૦૧.૦૫.૨૦૧૨ અને ૩૧.૦૭.૨૦૧૪ (બન્ને દિવસો સમાવિષ્ટ) વચ્ચે જ જન્મેલા હોય તેવા ઉમેદવારો આ પ્રવેશ પરીક્ષા આપી શકશે.
સદર પ્રવેશ પરીક્ષા અંગેની વિગતવાર માહિતી માટે અને આ પ્રવેશ પરીક્ષા આપવા માટે વિનામુલ્યે ઓનલાઈન અરજી કરવા માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ https://navodaya.gov.in ની મુલકાત લેવી. ધોરણ ૬ માં પ્રવેશ માટેની આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦.૦૮.૨૦૨3 છે. અન્ય કોઈ માહિતી/માર્ગદર્શન માટે આ વિધ્યાલય નો સંપર્ક કરવો.
રિપોર્ટ : ધીરુભાઈ પરમાર (ખેડબ્રહ્મા)