સાંસ્કૃતિક યોદ્ધાઓએ લોકોને આપણી સંસ્કૃતિ પરના હુમલાઓથી જાગૃત કરવા જોઈએ : યોગી આદિત્યનાથ

સાંસ્કૃતિક યોદ્ધાઓએ લોકોને આપણી સંસ્કૃતિ પરના હુમલાઓથી જાગૃત કરવા જોઈએ : યોગી આદિત્યનાથ
Spread the love
  • એડવોકેટ અભય શાહને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવા ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનાં હસ્તે મળ્યો ‘સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’

ઉત્તર પ્રદેશના આદરણીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી મહારાજ, લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર શ્રીમતી સુમિત્રા મહાજનજી અને સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના ભીષ્મપિતામહ અને સંસ્કૃતિ પ્રેમી ઉદય માહુરકરજીના વરદ હસ્તે ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી નોઈડા ખાતે સાંસ્કૃતિક યોદ્ધા એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે, વિકૃતિ ફેલાવનારા રાક્ષસોની સામે સમાજને જાગૃત કરનારી શોર્ટ ફિલ્મ “કૃપયા ધ્યાન દે” લોંન્ચ કરી હતી.

‘સેવ કલ્ચર સેવ ઈન્ડિયા’ ફાઉન્ડેશનના સ્થાપક ઉદય માહુરકરે જણાવ્યું હતું કે ભારતને એક મહાન રાષ્ટ્ર બનાવવા માટે વિકૃત સામગ્રીના નિર્માતાઓ સામે સંપૂર્ણ યુદ્ધ લડવાની જરૂર છે નહીં તો જગત ગુરુ બનવાનું ભારતનું મહાન સ્વપ્ન પાટા પરથી ઉતરી શકે છે. ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પ્લેટફોર્મ પરથી પ્રસારિત થતાં કાર્યક્રમ પર નિયમન હોવા છતાં ગંદી ગાળો,અશ્લીલતા અને વ્યભિચાર, માંસ મટન આરોગતા દ્રશ્યો, સુરુચિ ભંગ થાય તેવા દ્રશ્યો, સનાતન સંસ્કૃતિ વિરુદ્ધનાં દ્રશ્યો વગેરે સતત દર્શાવવાંમાં આવે છે. ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પ્લેટફોર્મ પરથી પ્રસાર થતાં અમુક કાર્યક્રમો માતા-પુત્ર, સસરા-વહુ, દિયર-ભાભી, શિક્ષક-વિદ્યાર્થીનાં પવિત્ર સંબંધને વ્યભિચારનાં સ્વરૂપે દર્શાવે છે, જે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે.

આ ઉપરાંત આવા કાર્યક્રમને જોવાથી વ્યક્તિનાં માનસ પર વિકૃત અસર થાય છે. ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પરથી પ્રસારિત થતાં કાર્યક્રમમાં નવી ગાઈડલાઇન આવવા છતાં પણ ગંદી ગાળો અને અશ્લીલતાઓ ભરેલી વિકૃત સામગ્રીનો કચરો ઠલવાઇ રહ્યો છે,જે ચિંતાનો વિષય છે. દેશમાં હિંસા, વ્યભિચાર, નારી હિંસા, ઘરેલુ હિંસા, યૌન શોષણ, તલાક જેવા કિસ્સાઓમાં વધારો થયો છે તેના માટે ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પ્લેટફોર્મ પરથી પ્રસારિત થતી અશ્લીલતા – અભદ્ર અને વિકૃત સામગ્રી જવાબદાર છે. જ્યાં નારીને પૂજવાની વાત કરવામાં આવે છે ત્યાં વ્યભિચાર દર્શાવીને તેનું ઓટીટી દ્વારા અપમાન કરવામાં આવે છે.

પ. પૂ. પં. શ્રી જિનપ્રેમવિજયજી મ.સા.ના માર્ગદર્શન અને આશીર્વાદથી એડવોકેટ અભય શાહને ‘સ્વચ્છ સાયબર અભિયાન વર્ષ ૨૦૨૩’માં સક્રિય યોગદાન આપવા બદલ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં હસ્તે ‘સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર – 2023’ અર્પણ કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક મૂલ્યો સમાજનું મૂળ છે અને જો તેના મૂળ પર હુમલો કરવામાં આવે તો સમાજ ટકી શકશે નહીં, સાંસ્કૃતિક મુલ્યોનાં રક્ષણ માટે લડી રહેલા વ્યક્તિઓનું સન્માન કરવું જરૂરી છે. ભૂતપૂર્વ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને નાગરિકોને અશ્લીલ સામગ્રી સામે ઉભા થવા અને અશ્લીલ સમાજ દ્વારા સમાજના અધોગતિને મૂંગા દર્શક બનીને ન જોવા હાકલ કરી હતી.

તેમણે કહ્યું કે સારા લોકો હંમેશા સમાજમાં ખરાબ લોકો કરતાં વધુ હોય છે પરંતુ તે સારા લોકોએ સમાજના સારા માટે ફરજિયાત અનિષ્ટ સામે તેમની શક્તિ એકસાથે મૂકવી પડશે. એવોર્ડ મેળવનારાઓમાં સ્વચ્છ સાયબર ભારતના અભય શાહ, ક્રિએટિવ બ્રાન્ડિંગ અને બહુચર્ચિત ફિલ્મ ‘એક લડકી’ના નિર્માતા મનીષ પ્રણિયા, મુવી પિક્સેલના વરિષ્ઠ લેખક અને સીઈઓ વૈશાલી શાહ, ફિલ્મ નિર્માતા પ્રવીણ ચતુર્વેદી, હિન્દુ જનજાગરણ સમિતિના પ્રવક્તા રમેશ શિંદે, પત્રકાર સ્વાતિ ગોયલ શર્મા, ટીવી એન્કર પ્રદીપ ભંડારી, જેમ્સ ઓફ બોલીવુડ ચળવળ ચલાવતા સંજીવ નેવાર અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનો સમાવેશ થાય છે.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

erf.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!