ગીતાંજલિ સ્કૂલ આહવામાં સુ શ્રી હેતલદીદી ના વરદહસ્તે પરમાર્થ ટ્રસ્ટ સુરત નોટબુક થેલા વિતરણ

ગીતાંજલિ સ્કૂલ આહવામાં સુ શ્રી હેતલદીદી ના વરદહસ્તે પરમાર્થ ટ્રસ્ટ સુરત નોટબુક થેલા વિતરણ
ડાંગ ના આહવા ખાતે સુરત સ્થિત પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સતત એકમાસ થી અંતરયાળ આદિવાસી વિસ્તારો માં સ્કૂલ કીટ ચપોડા નોટબુક જરૂરી સ્ટેશનરી વિતરણ અભિયાન ચલાવાય રહ્યું છે માતા શબરી ની તપો ભૂમિ દંડીકારણ્ય ડાંગ માં સ્થિત દંડીકારણ્ય મહાદેવ મંદિર ના પૂજ્ય હેતલદીદી ના વરદહસ્તે ગીતાંજલિ સ્કૂલ, આહવામાં નોટબુક તથા થેલા વિતરણ કરાયા હતા આ પ્રસંગે પૂજ્ય હેતલદીદી એ મનનીય વક્તવ્ય માં જણાવ્યું હતું કે વિદ્યારૂપી ધન કોઈ ચોરી શકતું નથી રાજા દંડ રૂપે વસૂલી શકતો નથી ભાઈ ભાગ પડાવી શકતો નથી વિદ્યા નો ભાર લાગતો નથી દેવા થી તે નિત્ય વધ્યા કરે છે સર્વથા શ્રેષ્ટ ધન વિદ્યાધન છે તેમ જણાવ્યું હતું ભરતભાઇ માગુંકિયા ના નેતૃત્વ ચાલતી પરમાર્થ ટ્રસ્ટ સુરત ની આ મુહિમ ને ઉત્તમ મુહિમ ગણાવી સર્વ દાતા પરિવારો ટ્રસ્ટી સ્વંયમ સેવકો પ્રત્યે આભાર વ્યક્ત કરી આશિષ પાઠવ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300