રાજકોટ : તા.૫ના ‘‘રસરંગ લોકમેળો-૨૦૨૩’’ નો શુભારંભ.
રાજકોટ શહેરમાં તા.૫ના ‘‘રસરંગ લોકમેળો-૨૦૨૩’’ નો શુભારંભ.
રાજકોટ : ના રોજ સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટની ધરતી ઉપર મેહુલિયાની અમીધારા સાથે આવેલ પવિત્ર પર્વ કૃષ્ણ જન્માષ્ટમીનો ધબકાર એટલે રાજકોટનો જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રસરંગ લોકમેળો જેનો શુભારંભ પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાના વરદ્ હસ્તે તા.૫-૯-૨૦૨૩ને મંગળવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે કરવામાં આવશે. રસરંગ લોકમેળો-૨૦૨૩ના ઉદઘાટન સમારોહમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મેયર પ્રદીપભાઈ ડવ, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક અને સાંસદ રામભાઈ મોકરીયા, સર્વે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા, મહેન્દ્રભાઈ પાડલીયા, જીતેન્દ્રભાઈ સોમાણી, દુર્લભજી દેથરીયા વગેરે ઉપસ્થિત રહેશે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300