દામનગર : પત્રકાર નટવરલાલ ભાતિયાને અયોધ્યા દર્શન માટે નિમંત્રણ

દામનગર શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ ની સગઠનાત્મક જવાબદારી સંભાળનાર સને ૧૯૯૦ માં દામનગર શહેરમાં સક્રિય ભૂમિકા અદા કરનાર વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી પત્રકાર નટવરલાલ ભાતિયા ને અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઘનશ્યામભાઈ પરમારે આજે દામનગર શહેર ના કલમ નવેશી પત્રકાર ભાતિયાને ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં દર્શન માટે પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું.