હરેન પંડ્યા હત્યાકાંડઃ સુપ્રિમે ૧૨ આરોપીઓને ઉંમર કેદની સજા ફટકારી

હરેન પંડ્યા હત્યાકાંડઃ સુપ્રિમે ૧૨ આરોપીઓને ઉંમર કેદની સજા ફટકારી
Spread the love

ન્યુ દિલ્હી,
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યાકાંડ મામલે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રિમ કોર્ટે પલટ્યું છે. સુપ્રિમ કોર્ટે ૧૨ આરોપીઓને ઉંમર કેદની સજા સંભળાવી છે. ગુજરાત હાઈકોર્ટે વર્ષ ૨૦૦૩માં હરેન પંડ્યા હત્યાકાંડના તમામ ૧૨ આરોપીઓને હત્યાના આરોપોથી મુક્ત કર્યા હતા. તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યાની ૨૬ માર્ચ, ૨૦૦૩ના રોજ અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ સુપ્રિમ કોર્ટે હરેન પંડ્યા હત્યાકાંડની ફરીથી તપાસ કરવાની માંગ કરતી અરજીને નકારી કાઢી છે. તેમજ અરજી કરનાર એનજીઓ ૫૦ હજારનો દંડ પણ લગાવ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, હવે કોઈ અન્ય અરજી પર વિચાર નહિ થાય.

હરેન પંડ્યા હત્યાકાંડમાં ૧૨ આરોપીઓને મુક્ત કરવાના નિર્ણયને ચેલેન્જ આપતી સીબીઆઈ અને ગુજરાત હાઈકોર્ટની અપીલ પર આજે સુપ્રિમ કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો હતો. ન્યાયાધીશ અરુણ મિશ્રાના નેતૃત્વવાળી પીઠ એનજીઓ સેન્ટર ફોર પÂબ્લક ઈન્ટસ્ટ્રેસ્ટ લિટિગેશન (સીપીઆઈએલ)ની જનહિત અરજી પર નિર્ણય આપ્યો હતો. આ હત્યાની અદાલતની દેખરેખ હેઠળ ફરીથી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.  હરેન પંડ્યા ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકારમાં મંત્રી હતા. તેમની અમદાવાદના લો ગાર્ડન એરિયામાં ૨૬ માર્ચ, ૨૦૦૩ની વહેલી સવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!