ચેતજા..પાનકાર્ડને આધાર સાથે ન જાડ્યું તો પાનકાર્ડ રદ્દ થશે

ન્યુ દિલ્હી,
પાનકાર્ડને આધાર સાથે જા જાડવામાં નહી આવે તો હવે પાનકાર્ડ રદ કરવામાં આવશે તેવી ચેતવણી આપી દેવામાં આવી છે. સપ્ટેમ્બરથી આવા પાનકાર્ડની માન્યતા રદ કરી દેવામાં આવશે. સરકારે એવી માહિતી આપી છે કે અત્યારે દેશમાં કુલ ૪૦ કરોડ પાનકાર્ડધારકો છે જેમાંથી ૧૮ કરોડે આધાર સાથે લીન્ક કરાવ્યું નથી. જા આગામી સમયમાં પણ તેઓ લીન્ક નહી કરાવે તો પહેલી સપ્ટેમ્બર બાદ આવકવેરા રિટર્ન ભરવા માટે આધારના ક્રમાંકનો ઉપયોગ કરશે તો આવકવેરા વિભાગ એમને આધાર સાથે જાડાયેલ નવું પાનકાર્ડ જારી કરશે.
સરકારી સૂત્રોએ એવી માહિતી આપી છે કે હવે કરદાતા બન્ને કાર્ડને લીન્ક નહી કરે અને આવકવેરા રિટર્ન અથવા લેવડ-દેવડ માટે આધાર ક્રમાંક આપે છે તો એમના માટે આવકવેરા વિભાગ પોતે એક નવું પાનકાર્ડ તૈયાર કરીને આપશે જેને સંબંધિત Âવ્યક્ત ઓનલાઈન માધ્યમથી ડાઉનલોડ કરી શકશે. સંસદમાં નાણા ખરડો ૨૦૧૯ પસાર થયા બાદ પાનને આધાર સાથે જાડવાનો પ્રસ્તાવ પણ પસાર થયો છે. આમ હવે જે લોકોએ પાનકાર્ડને આધાર સાથે લીન્કઅપ કરાવ્યું નથી તેમણે ખૂબ જલ્દી કરાવવું પડશે નહીતર તેમનું પાનકાર્ડ રદ થશે.