સીઓએ મુખ્ય કારણોને નજરઅંદાજ કરી ભૂલોને છૂપાવવા માંગે છેઃ બીસીસીઆઇ

ન્યુ દિલ્હી,
ગત ઘરેલું સીઝનમાં ખરાબ અમ્પાયરિંગના કારણે નિશાન પર આવેલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ) એ એક મોટો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈએ સંચાલકોની સમિતિ(સીઓએ) ના માર્ગદર્શન હેઠળ આ વર્ષે રણજી ટ્રોફીના નોકઆઉટ મેચોમાં ડીઆરએસ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પર બીસીસીઆઈએ હવે એક મોટું નિવેદન આપ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ BCCIએ કÌšં કે આCOAનું વધુ એક પગલું છે. જેથી તેઓ મુખ્ય કારણોને નજરઅંદાજ કરી ભૂલોને છુપાવવા માંગે છે. BCCIના એક અધિકારીએ ક કે સીઓએના રહેતા આ સમાન્ય વાત થઈ ગઈ છે કે બહારથી, બોર્ડની છવિ સાફ સુથરી રહે ભલે પછી અંદરથી ખોખલી થતી જાય. ઉપરાંત અધિકારીએ કÌšં કે,‘અમે આ વાતથી હેરાન નથી. આ પ્રકારની વસ્તુઓ આજકાલ થઈ રહી છે, એડ હોક તરીકેથી. આ પાછળ શું ઇરાદો છે? નોક આઉટ મેચોમાં ખોટા નિર્ણયોને ઓછા કરવાનું કારણ છે?’ ખરાબ અમ્પાયરિંગની જવાબદારી કોની છે? ત્યાં અમ્પાયરિંગના સ્તરને સુધારવા માટે શું કરવામાં આવશે? આ સારી રીતે આંખે ધૂળ નાખવા જેવું છે.’ જ્યારે ક્રિકેટ સંચાલનના મહાનિદેશક સબા કરીમે કÌšં હતું કે લિમિટેડ ડીઆરએસ પાછળ ઉદ્દેશ્ય ગત સીઝનમાં રણજી ટ્રોફિમાં થયેલ ભૂલોને સુધારવાનો છે. ઉપરાંત બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ કÌšં કે અમ્પાયરિંગના સ્તરને સુધારવા માટે એક પરીક્ષા કેમ લેવામાં આવતી નથી.