મોડાસાના માથાસુલીયા ગામે વોટરવર્કસની ટાંકી જર્જરીત : શાળા નજીક હોઈ બાળકો માટે જોખમી

મોડાસાના માથાસુલીયા ગામે વોટરવર્કસની ટાંકી જર્જરીત : શાળા નજીક હોઈ બાળકો માટે જોખમી
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

મોડાસા તાલુકાના માથાસુલીયા ગ્રામજનોને પૂરું પડતા પીવાના પાણીની ટાંકી વર્ષો જૂની હોવાથી જર્જરિત થઈ ગઈ છે. માથાસુલીયા પ્રાથમિક શાળાના પ્રવેશદ્વાર નજીક અને મેદાન પાસે પાણીની જર્જરિત ટાંકીથી શાળામાં અભ્યાસ કરતા બાળકોના માથે મોતનો ભય તોળાઈ રહ્યો છે. ગ્રામપંચાયત અને જવાબદાર તંત્ર દ્વારા જર્જરિત પાણીની ટાંકીથી શાળાના બાળકનો કે ગ્રામજનો માટે ગમે તે ઘડીએ મોત બની ત્રાટકે તે પહેલા ઉતારી લેવાય અને તેનું યોગ્ય કામ ફરી થઈ થાય તેવી માગ ઉઠી છે.માથાસુલીયા પ્રાથમિક શાળામાં ૧૫૦થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળાના પ્રવેશદ્વાર નજીક અને બાળકોના રમત મેદાન નજીક ગ્રામજનોને પુરા પડતા પાણીના જથ્થાના સંગ્રહ માટે બનાવેલી પાણીની ટાંકી વર્ષો જૂની હોવાથી ગમે તે સમયે ફાટી જાય તો બાળકો માટે મોટી હોનારત સર્જી શકે છે.

પાણીની ટાંકીના પાયા સાવ ખવાઈ ગયા છે. તેમજ ઉભા કરેલા વર્ષો જૂના સિમેન્ટ કોંક્રિટના બિંબમાં પણ હાલ સળિયા કટાઈ ગયેલી હાલતમાં બહાર દેખાવા લાગ્યા છે. પાણીની ટાંકી પડુ પડુ થઇ રહી છે. વરસાદમાં ટાંકી ધરાશાયી થાય તો જાનહાની થાય તો જવાબદારી કોની રહેશે… ? અને શું ઘટના ઘટયા પછી તપાસના નાટક કરવા તે યોગ્ય છે? વગેરે જેવા સવાલો ઊભા થઈ રહ્યા છે.જર્જરિત પાણીની ટાંકી નજીક મંદિર પણ આવેલું હોવાથી ભક્તો પણ ચિંતિત બન્યા છે, પાણીની ટાંકીની આસપાસ કાયમ માટે વરસાદી માહોલ હોય તેમ પાણીનો વેડફાટ થાય છે.

શાળાઓમાં અભ્યાસ અર્થે જતા બાળકો કે ગ્રામજનોને ગંદકીમાંથી પસાર થવું પડી રહ્યું છે. માથાસુલીયા પ્રાથમિક શાળા નજીકથી જોખમી વીજ તાર હટાવવા પણ વીજતંત્રમાં રજૂઆત કરી હોવા છતાં વીજતંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું છે.માથાસુલીયા ગ્રામ પંચાયતના સરપંચ શું કહે છે..!!માથાસુલીયા ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈના જણાવ્યા અનુસાર પાણીની ટાંકી જર્જરિત અવસ્થા હોવાથી ૨ વર્ષ અગાઉ તાલુકા પંચાયત કચેરીમાં રજુઆત કરી હતી, પણ કોઈ જવાબ ન મળ્યો. મહદંશે રમેશભાઈ સરપંચ પણ પાણીની ટાંકીની યોગ્ય રજૂઆત જવાબદાર તંત્રમાં કરવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું તેમના જવાબ પરથી લાગી રહ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!