ભાવનગર શિશુવિહાર દ્વારા ૨૨ બહેનોને સિલાઈ મશીન, ૨૦ ગરીબ પરિવારને રાશન કીટ આપી રાષ્ટ્રીય પર્વ ઉજવાયું

ભાવનગર શિશુવિહાર સંસ્થા માં દર વર્ષ ની પરંપરા મુજબ તા.૧૫ ઑગસ્ટે ૭૩ માં સ્વાતંત્ર્યપર્વ ની સંસ્થાના પ્રાગણમા ક્રિડાગણનાં બાળકો એ માર્ચપાસ્ટ,બેન્ડ સલામી સાથે ડૉ.ભરતભાઈ ભિમાણીની અધ્યક્ષતામા ઘ્વજવંદન યોજાયું ગયુ. સામાજિક સેવા પ્રવૃતિ અન્વયે ૨૨ બહેનોને સીલાઈ મશીનની સહાય શારદા બહેન ધીરજલાલ દેસાઈની સ્મુતિમાં ધીરજલાલ પરમાણંદાસ દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા આપવામા આવેલ.શ્રી રાધવજી ભાઈ પટેલના સહકારથી ૨૦ શ્રમિક કુટુંબોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલ.રાષ્ટ્રીય પર્વ ની પ્રેરણાત્મક ઉજવણી કરતી સંસ્થા શિશુવિહાર ભાવનગર ની રંક ના જીવન માં રંગ પૂરતી રંગારંગ ઉજવણી રાષ્ટ્રીય પર્વે સુંદર પ્રેરણા આપી