ભાવનગર શિશુવિહાર દ્વારા નિરમાના સૌજન્યથી ભાલના કાળાતળાવ ખાતે આરોગ્ય શિબિર

ભાવનગર શિશુવિહાર દ્વારા નિરમાના સૌજન્યથી ભાલના કાળાતળાવ ખાતે આરોગ્ય શિબિર
Spread the love

ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડનાં સૌજન્યથી તા.૧૭/૧ નેશુક્રવાર ના રોજ  ભાલ વિસ્તાર ના કાળાતળાવ  ગામની પ્રાથમિક શાળામા ગ્રામજનોને ચશ્મા વિતરણ તથા આરોગ્ય તપાસ અને આ જ પ્રાથમિક શાળાના બાળકો ની હિમોગ્લોબિન તાપસ કરવામાં આવેલ. જેમા ૯૮ દર્દી નારાયણને ચશ્માનાં નંબર તપાસીને ચશ્મા આપવામા આવેલ તથા ગ્રામજનોને આરોગ્ય તપાસ  કરીને ૧૦૫  દર્દી નારાયણો ને દવા આપવામા આવેલ. શાળાનાં ૭૫ બાળકોને હીમોગ્લોબિન તાપસી ને ૧૨ બાળકોની દવા આપવામા આવેલ. આ કાર્યક્રમમાં નિરમા લિમિટેડનાં શ્રી કલ્પેશભાઈ પટેલ , સરપંચ શ્રી વાલીબેન, શાળાનાં આચાર્ય શ્રી મહેન્દ્રસિંહ જાડેજા શિશુવિહાર સંસ્થાના ડૉ.શ્રી જશુબહેન જાની,શ્રી હિરેનભાઈ  જાંજલ,શ્રી મીનાબહેન મકવાણા, શ્રી કૃપાબહેન ઓઝા, શ્રી રેખાબહેન ભટ્ટ તથા શ્રી રાજુભાઈ મકવાણા એ સેવા આપેલ.

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!