દામનગર ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લાયન્સ કબલ ઓફ અમરેલી સીટી આયોજિત ૪૨ મો સુદર્શન નેત્રાલય કેમ્પ

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી સતત ૪૨મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તારીખ ૧૫-૦૧-૨૦૨૦ ને બુધવારે આયોજન કરવામાં આવેલ હતું.
આ કેમ્પમાં આંખના રોગ જેવા કે મોતિયો, ઝામર, વેલ, પરવાળા તથા આંખની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયા ના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતા. આ કેમ્પમાં ૧૦૭ દર્દીઓએ લાભ લીધો હતો અને ૩૯ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું.
આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી લાયન પ્રા. એમ. એમ.પટેલ, લાયન વિનોદભાઈ આદ્રોજા, લાયન શરદભાઈ વ્યાસ તેમજ સુદર્શન નેત્રાલય તરફથી કિર્તીભાઈ ભટ્ટ, નિલેશભાઈ ભીલ અને તેમની ટીમ તેમજ ભુરખીયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટીશ્રી જીવણભાઈ હકાણી, સંચાલકશ્રી ગોપાલભાઈ ચુડાસમા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતું.