સોમનાથ ટ્રસ્ટ અને અભિનેત્રી રાજશ્રી મિના દ્વારા લોકલ ભાડાથી મુસાફરોને સુવિધા રૂપે સોમનાથ ગારિયાધાર રૂટની એસ. ટી. સુવિધા ઉપલબ્ધ

સોમનાથ ટ્રસ્ટ અને અભિનેત્રી રાજશ્રી મિના દ્વારા લોકલ ભાડાંથી મુસાફરોને સુવિધા રૂપે સોમનાથ ગારિયાધાર રૂટની એસ. ટી. સુવિધા ઉપલબ્ધથી અમરેલી પરબ તરફ જવાની એકપણ એસ.ટી. સુવિધા નહ તી. આ સેવા ઉપલબ્ધ થતા મુસાફરો માં આનંદ રજુઆત ને ગારીયાધાર ડેપો મેનેજરે સમર્થન આપ3તા સોમનાથ મંડળના પૂજારીના વરદ હસ્તે વિધિવત્ બસ સેવા શરૂ કરી અભિનેત્રી રાજશ્રી મિના દ્વારા હજુ માતાના મઢ કરછ મુંબઈ અને સાંળગ પુરની પણ માંગ યથાવત
બાર જયોતિ લીંગ માના પ્રથમ જયોતિ લીંગ એવા યાત્રાધામ સોમનાથ થી અમરેલી પરબ તરફ જવાની એકપણ એસ ટી સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે યાત્રીઓ ને પડી રહેલી મુશ્કેલીને દયાનમાં રાખી સોમનાથ ટ્રસ્ટ અને મુંબઈની અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગીય નિયામક અને ગારિયાધાર ડેપો મેનેજર શ્રી હરેશભાઈ ના સફળ પ્રયાસોથી યાત્રાધામ સોમનાથ મહાદેવ ના દર્શન માટે આવતા યાત્રીઓને સુવિધા રૂપે સોમનાથ ગારિયાધાર રૂટની ઇન્ટર સીટી લોકલ ભાડાંથી એસ ટી સુવિધા ઉપલબ્ધ થયેલ જે સોમનાથથી બપોરે આરતી બાદ પ્રસ્થાન થયેલ.
જે વેરાવળ કેશોદ જુનાગઢ ભેસાણ પરબ બગસરા અમરેલી થઈને ગારિયાધાર પહોંચશે અને ગારિયાધાર થી વહેલી સવારે ઉપડીને સોમનાથ સવારે ૧૧ : ૦૦ વાગ્યા આસપાસ પહોંચશે અને જેમા સોમનાથથી ગાંરીયાધારનુ ભાડુ રૂપિયા ૧૬૦ રાખેલું. જેનો પ્રારંભ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, એરિયા મેનેજમેન્ટ ઓફિસર સુરેન્દ્રસિંહ જાડેજા, સોમનાથ મંદિરના પૂજારી નીખીલેશભાઈ દવે, વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકાના ભુતપુર્વ ઉપ પ્રમુખ જયદેવભાઈ જાની, બ્રહ્મ સમાજના શ્રી મિલનભાઈ જોષી, વિશ્વ હિન્દુ પરિષદના ગોવિંદભાઈ ભાનુશાળી, મુંબઈના અભિનેત્રી રાજશ્રી મિના, રીટાબેન મહેતાએ કરાવ્યો હતો.