અરવલ્લીમા આંજણા ચાૈધરી સમાજનાે સાતમો સપ્તપદી સમૂહ લગ્નાેત્સવ ભેંસાવાડા ખાતે યાેજાશે

અખિલ આંજણા ચાૈધરી સમાજ અરવલ્લીનો સાતમો સપ્તપદી સમૂહ લગ્નાેત્સવ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ખાતે યાેજાશે. જેમાં 10 યુગલો દામ્પત્ય જીવનની શરુઆત કરશે. અરવલ્લી આંજણા ફાઉન્ડેશન ધ્વારા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાશે. વર્તમાન સમયની સાૈથી વધુ માંગ છે સમૂહ લગ્નાેત્સવ. સમૂહ લગ્નાેત્સવથી આઠ ફાયદાે તાે સીધા થાય છે. લસમય, અર્થ, સુખ, સમર્પણ, સંગઠન, સાહસ, શિક્ષા અને સામાજિક સમરસતા વધે છે. સમૂહ લગ્નાેત્સવની થેરાેપીથી પણ સમાજની તબિયત સુધરતી હાેય છે. એ સિવાય અપ્રત્યરૂપે ઘણા લાભ સમૂહ લગ્નાેત્સવમાં થાય છે.
અખિલ ભારતીય સ્તરે કહીએ કે, ગુજરાત અથવા અરવલ્લીના સ્તરે વાત કરીએ તાે શ્રી આંજણા ચાૈધરી સમાજે પણ જમાનાની સાથે પડખું બદલ્યું છે. મુઠ્ઠીભર યુવા ચેતનાએ આજથી સાત વર્ષ પહેલાં સમૂહ લગ્નાેત્સવ પ્રારંભ કર્યાે હતાે. સમાજનો બહાેળાે પ્રતિસાદ મળતાં અરવલ્લી આંજણા ફાઉન્ડેશનના નેજા હેઠળ આયાેજીત સાતમો સપ્તપદી સમૂહ લગ્નાેત્સવ 9 ફેબ્રુઆરી, 2020ને રવિવારના રાેજ ફુલ ગુલાબી માહાેલમાં અને વસંતી વાયરાઓની સાક્ષીમાં ભેંસાવાડાની પાદરમાં સંગીતમય અને હજારો સમાજજનાેની હૂંફાળી હાજરીમાં યાેજાશે. સમૂહ લગ્નાેત્સવની યુદ્ધસ્તર પર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યાે છે. વ્યવસ્થામાં કાેઈ ખામી ન રહી જાય તેની ઝીણી કાળજી આંજણા ફાઉન્ડેશનના યુવાઓ દ્વારા લેવાઈ રહી છે.
કંકુ છાંટીને નેહ નિતરતી કંકાેત્રીઓ ગામેગામે પહુંચી ગઈ છે. આ સમૂહલગ્નોત્સવમા 10 યુગલો રેશમ ગાંઢે ગૂંથાશે,આ સમૂહલગ્નોત્સવ માં 1 લાખ સ્કે. ફુટનો મંડપ, પ્રકાંડ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર, જાનૈયાઓનું સંગીતના સથવારે અને 15 હજાર લોકોનો જમણવાર, અન્નનો બગાડ ના થાય તે માટે સ્વયં સેવકો નજર રાખશે. ભોજનને ટેબલ સુધી પહોંચાડવાની, ટ્રાફિક શિસ્તને જાળવવા ચૂનાની માર્કિંગ, દિવ્યાંગો અને સિનીયર સિટીઝન માટે વ્હીલ ચેર, દૂધપીતાં બાળકાે માટે ઘાેડિયાઘર અને મેડીકલની ટીમ અને અિગ્નશામક દળની વ્યવસ્થા રહેશે.સીસીટીવી કેમરાથી લગ્નાેત્સવમાં સુરક્ષા પર ચાંપતી નજર રખાશે.એ સિવાય સંસ્કાર, સંકલ્પ,જેવા જાન ઉતારાના વિભાગાે રહેશે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા ( સાબરકાંઠા)