એલઆરડી ભરતી આંદોલન મામલે સરકાર ઝૂકી, જૂનો પરિપત્ર રદ થશે

એલઆરડી ભરતી આંદોલન મામલે સરકાર ઝૂકી, જૂનો પરિપત્ર રદ થશે
Spread the love

અમદાવાદ,
એલઆરડી ભરતી મામલે થઈ રહેલા વિવાદને કારણે રાજ્ય સરકારે ૧-૮-૧૮નો પરિપત્ર રદ કર્યો છે. હવે તેમાં સુધારો કરી નવો પરિપત્ર કરવામાં આવશે. છેલ્લા બે મહિનાથી સરકારી નોકરીઓમાં જનરલ કેટેગરીની મહિલાઓ માટે અનામત રાખેલી બેઠકો પર યોગ્ય ઉમેદવાર ન મળતા ખાલી રહેલી બેઠકો ભરવા અંગે વિવાદ વકરી રહ્યો છે. આ બેઠકોને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો વડે ભરવાના ૧ ઓગસ્ટ ૨૦૧૮ના જીએડીના પરિપત્ર સામે રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ પરિપત્રને લીધે એલઆરડી ભરતી પ્રક્રિયાથી વિવાદનો મધપૂડો છેડાયો હતો. આ પરિપત્રનો માલધારી, આદિવાસી, મહિલાઓ, ઓબીસી-એસસી અને એસટી સમાજના ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ ઓબીસી-એસસી અને એસટી સમાજના ઉમેદવારોની માગણી છે કે, મહિલાઓ માટે અનામત રખાયામાંથી ખાલી રહેલી બેઠકો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોથી નહીં પરંતુ અનામત કેટેગરીની મહિલાઓથી ભરવી જાઈએ.

૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ કરવા જીએડી દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રના મુદ્દા નં. ૧૨ અને ૧૩ની જાગવાઈઓ અંગે હાલ વિવાદ ઉભો થયો છે. આ પરિપત્ર મુજબ, મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવાનો ઉલ્લેખ છે. જેની સામે આ મહિલાઓ આંદોલન પર ઉતરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!