તારાપુર યુવા સેના દ્વારા કોરોના વાયરસના પગલે સરકારના આદેશનું પાલન કરવા મામલતદારને આવેદન

ગુજરાત સરકાર ના આદેશ અનુસાર આથી તમામ દુકાનદારો તથા મોટા દુકાનદારો અને ગલ્લાવાળા તથા શેરડીના કોલાવાળા તથા પાણીપુરી, દાબેલી, સમોસા તથા નાની-મોટી હોટલો તથા નાની ચોકડી થી મોટી ચોકડી રસ્તા પર આવતી નોનવેજ હોટલો તથા લારીઓનો ધંધો કરનાર તમામ વેપારીઓ તથા ઠંડા પીણા, આઈસ્ક્રીમ, જેવા કે પેપ્સી, ફાઉન્ટન સોડા, માઝા, વગેરે દરેક પ્રકારના ઠંડા પીણા તા.૩૧\૩\૨૦૨૦ સુધી બંધ રાખવા જયાં સુધી કોરાના વાયરસ નું નિયંત્રણના આવે ત્યા સુધી સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સુચનાનું પાલન કરાવવા આપ આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી.