ધાનેરાનાં સ્થાનિક તંત્રએ જનતાને કોરોના થી બચવા માટે અપીલ કરી

ધાનેરાનાં સ્થાનિક તંત્રએ જનતાને કોરોના થી બચવા માટે અપીલ કરી
Spread the love

અત્યારે સમગ્ર દેશમાં કોરોના નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લો બાકાત હતો પરંતુ આજે બનાસકાંઠા જિલ્લામાંથી પણ બે કોરોના પોઝેટિવ કેસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ તંત્ર પણ દોડતું થયું છે ત્યારે આજે ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસર પુનમરામ ચૌધરી દ્વારા ધાનેરા વિસ્તારના લોકોને મીડિયા દ્વારા કોરોના થી બચવા માટે તેમજ વગર કામે ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરી હતી.

ધાનેરાના પ્રાંત અધિકારી દ્વારા પણ લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો અને સાથે સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે વગર કામે ઘરથી બહાર નિકળવાનું ટાળવું અને ઘરમાં જ રહો સુરક્ષિત રહો અને નાછૂટકે બહાર નીકળવાનું થાય તો એક ડાયરી રાખો અને દિવસ દરમિયાન તમે કોને કોને મળ્યા તેની નોંધ કરો જેથી કરીને કોરોના વાયરસ સામે આપણે આસાનીથી લઈ શકીએ.

IMG_20200413_172028-0.jpg

Admin

Fojabhai

9909969099
Right Click Disabled!