વડોદરા જિલ્લાની ચાર એ.પી.એમ.સી.મા 1218 ક્વિન્ટલ ખેતપેદાશોની આવક

વડોદરા,
જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ખેડૂતોની સરળતા માટે જિલ્લાની તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ ચાલુ કરવાની સૂચના આપી હતી અને સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીને આ એપીએમસીનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
વડોદરા જિલ્લાની કરજણ,સાવલી,વાઘોડિયા અને ડેસર ના અનાજ માર્કેટ યાર્ડ આજે શરૂ થતા ખેડૂતો એ પોતાની ખેત પેદાશો નું વેચાણ કર્યું હતું. જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ચારે લે જણાવ્યું કે આજે આ તમામ માર્કેટ યાર્ડમાં એરંડા 932 ક્વિન્ટલ, તુવેર 41ક્વિન્ટલ, ડાંગર 20 ક્વિન્ટલ,મકાઈ 120 ક્વિન્ટલ તેમજ ઘઉં 105 ક્વિન્ટલ સહિત કુલ 1218 ક્વિન્ટલ ખેત પેદાશો ની આવક થઇ હતી.ખેડૂતોને ખેત પેદાશો ના વાજબી ભાવ પણ મળી રહ્યા છે.
બજાર સમિતિઓના સંચાલન દરમિયાન કોરોના સંકટ અને લોક ડાઉન ને અનુલક્ષીને સોસિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની બાબતો તેમજ જરૂરી લોજીસ્ટિક અને મેન પાવરની દેખરેખ રાખવામાં આવી રહી છે. જ્યારે નિયમ પ્રમાણે ખેડૂતોના વધુ માં વધુ ઓનલાઇન નોંધણી કરે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાની 8 એપીએમસી પૈકી કરજણ,વાઘોડિયા,ડેસર અને સાવલીમાં અનાજ,એરંડા સહિતની જણસીઓ ના ખરીદ વેચાણની,પાદરા અને વડોદરામાં શાકભાજીના વેપારની અને ડભોઇ શિનોર – સાધલીમાં ટેકાના ભાવે ખરીદીની પ્રવૃત્તિઓ થાય છે. વડોદરા શાકભાજી માર્કેટ મા આજે 983 ક્વિન્ટલ બટાકા, 2328 ક્વિન્ટલ ડુંગરી, 448 ક્વિન્ટલ ટામેટા અને અન્ય લીલા શાકભાજી 2738 ક્વિન્ટલ ની આવક થઇ હોવાનું શ્રી ચારે લે જણાવ્યું છે.