સાબરકાંઠા ભાજપને લોકસેવા અને આપત્તિ સમયે મદદ કરવાની સેવાઓને સો સો સલામ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના નવા ગામના જાણીતા યુવા લોક સેવક અને સાબરકાંઠા જિલ્લા ભાજપ ના મહામંત્રી હિતેશભાઈ પટેલે નાની ઉંમરે લોકસેવાની સરવાણી વહેવડાવી છે. એમ એસ સી સુધીનો અભ્યાસ અને ગ્રામ્ય વિસ્તારો થી માંડી ઉચ્ચ કક્ષાની તેમની સેવાઓ દાદ માગી લે તેવી છે . ગર્ભશ્રીમંત પરીવાર ના હોવા છતાં યાદી નાનામાં નાનો માણસ તેમની સાથે આસાનીથી વાતચીત કરી શકે છે એટલું જ નહીં પણ પારીવારીક ભાવનાથી તેઓ મદદ કર્તા પણ બને છે . અંબાજી પગપાળા સંઘો હોય કે ગમે ત્યા આપત્તિ સંજોગો ઉભા થયા હોય તો તેઓ તરતજ ત્યા પહોચી જાય છે અને મદદ કર્તા બની આપત્તિ માં ફસાયેલા ઓનાં આંસુ લૂછવાનું કામ એ તેમનો મહત્વનો ગુણ છે.કિસાનોના પ્રશ્નો હોય કે કિસાનો ના વિજળી ના કે માલના ભાવના પ્રશ્નો હોય તેઓ સરકાર અને ખેડૂતો વચ્ચે કડીરૂપ બની સંકલન જાળવી મદદકર્તા બંને છે.સતત હકારાત્મક વલણથી તેઓ યુવાવર્ગ અને આમ જનતામાં અતિપ્રિય કાર્યકર્તા સાબિત થયા છે.
તાજેતરમા કોરોના મહામારી માં પરપ્રાંતીય માણસોને ભોજન સહિતની સેવાઓ અને વતનમાં મોકલવામાં અને સંકલન માં તેઓએ જબરજસ્ત સેવા આપી છે તેમજ વિધવા માતા બહેનોને અને જરૂરિયાત મંદો ને અનાજ સહિતની કિટસોનુ વિતરણ.તેમજ માસ્ક.સેનીટાઈઝન કિટ્સ નું પણ તેઓએ વિતરણ કર્યું છે અને કોરોના મહામારી માં રોગ સામે ટક્કર લેવા લોકોમાં જાગૃતિ આવે તે માટે સતત પ્રયત્નશીલ રહી સેવાઓ આપી રહ્યા છે.તેમજ આવનારા સમયમાં બ્લડ બેંક માં બ્લડની અછત ના રહે તે માટે યુવાનો થકી બ્લડ ડોનેશન ના કેમ્પોનુ પણ તેઓ આયોજન કરનાર છે.તાલુક.કે જિલ્લા કે વિધાનસભા અને સંસદની ચૂંટણી ઘણા ભાજપ ના ઉમેદવારો ને વિજયી બનાવવા તેઓ ગામે ગામના પ્રવાસો કરી ભાજપ સરકાર ની સફરતા અને આમ આદમી અને કિસાનો વિધાર્થીઓ માટે સરકાર ના સંકલ્પબદ્ધ કાર્યક્રમો અને વિકાસની વાતો સ્વરીતે પહોંચાડવાની તેમની કુદરતી આવડત થી સમગ્ર જિલ્લામાં તેઓ યુવા લોકપ્રિય યુવા કાર્યકર યુવા નેતા ને સેવાના ભેખધારી ગણી સો સો સલામો આપે છે…
વન્દે માતરમ્ – જય હિન્દ…….
મનુભાઈ નાયી (પ્રાંતિજ)