ધોરણ ૧૦-૧૨ પછી શું ? વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦

ધોરણ ૧૦-૧૨ પછી શું ? વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦
Spread the love
  • રાજયના માહિતી ખાતા દ્વારા રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦ પ્રસિધ્ધ

ધોરણ ૧૦-૧૨ પછી શું ? મોટા ભાગના વિધાર્થીઓ અને વાલીઓને આ પ્રશ્ન મુંઝવતો હોય છે. તેથી રાજયના માહિતી ખાતા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત રોજગાર સમાચાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી અનુભવી અને વ્યવસાયિક તજજ્ઞો દ્વારા સંપૂર્ણ ચોકસાઇ રાખીને આ અંકનું આલેખન કરવામાં આવે છે.

આ અંક દ્રારા વિધાર્થીઓ પોતાની રસ-રૂચી મુજબ પોતાની કારકિર્દી પસંદ કરી યોગ્ય શૈક્ષણિક સંસ્થા પસંદ કરવા માટેની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ કરાવતો આ અંક જિલ્લા માહિતી કચેરી, હિંમતનગર ખાતેથી મેળવી શકાશે. આ અંક વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તેમજ યોગ્ય દિશા નક્કી કરવામાં દીવાદાંડી સમાન છે. આ ઉપરાંત તેમાં રહેલી વિગતો માર્ગદર્શન આપનારી અને કારકિર્દી ઘડતર માટેની મૂંઝવણો દૂર કરનારી સાબિત થશે. આ મૂલ્યવાન કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૦ની કિંમત રૂ.૨૦/- છે. જે જિલ્લા માહિતી કચેરી, બહુમાળી ભવન હિંમતનગર ખાતે ઉપલબ્ધ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200619-WA0217.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!