અમરેલી : રાજુલાના વાવેરા ગામે કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર હરકતમાં

રાજુલા : આજે વાવેરા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન તેમજ સેનીડાયજરનો સટકાવ કરવામાં આવ્યો હતો. વાવેરા ગામમાં પ્લોટ વિસ્તારમાં બઘી દુકાનો પણ બંધ કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરી હતી અને બાઘાભાઈ દુલાભાઈ કાછડના સપકમા આવ્યા હતા તે લોકોને હોમ કોરેન્ટાઈન કરવા મા આવ્યા હતા.
વાવેરા ગ્રામ પંચાયત દ્વારા વાવેરા ગામના દરેક વ્યક્તિને ખોટી રીતે બહાર નો નિકળવા નો આદેશ કર્યો હતો કામ શીવય બહાર નિકળવુ નહી તેમજ બહાર થી આવતા લોકોને ફરજીયાત હોમ કોરટાઈન કરવામાં આવશે. સરપંચ બીસુભાઈ ધાખડા અને ભાજપ મહામંત્રી કનુભાઈ ધાખડા દ્વારા સતત ખડેપગે વાવેરા ગામમાં સેવા આપી રહ્યા છે.
રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)