ગોકુળાષ્‍ટમીના શુભદિને ‘સનાતન સંસ્‍થા’ના નેપાળી ભાષામાંના સંકેતસ્‍થળનું વિમોચન !

ગોકુળાષ્‍ટમીના શુભદિને ‘સનાતન સંસ્‍થા’ના નેપાળી ભાષામાંના સંકેતસ્‍થળનું વિમોચન !
Spread the love

કર્ણાવતી : હજારો વર્ષોથી ભારત અને નેપાળના સાંસ્‍કૃતિક સંબંધ રહ્યા છે. ‘હિંદુ ધર્મ આ બન્‍ને દેશમાંનો સમાન તાંતણો છેસ્‍વાભાવિક રીતે જ બન્‍ને દેશોનાં શ્રદ્ધાસ્‍થાનોમાન્‍યતાતહેવારઉત્‍સવ ઇત્‍યાદિમાં મોટા પ્રમાણમાં સમાનતા છેસનાતન સંસ્‍થાના સંકેતસ્‍થળનો સમગ્ર વિશ્‍વમાંનો હિંદુ સમાજ વાચક છેવિવિધ દેશોમાંના હિંદુ નાગરિકોનો સદર સંકેતસ્‍થળને બહોળો પ્રતિસાદ મળે છેતેમાંથી કેટલાક નેપાળી જિજ્ઞાસુઓએ નેપાળમાંના હિંદુ સમાજને ધર્મશિક્ષણ મળે એ માટે સનાતનનું સંકેતસ્‍થળ નેપાળી ભાષામાં ચાલુ કરવાની આગ્રહભરી માગણી કરીસનાતન સંસ્‍થા હિંદુ ધર્મપ્રચારનું વ્રત લઈને જ કાર્યરત હોવાથી અમે તે માગણી પૂર્ણ કરી રહ્યા છીએવિશ્‍વભરના નેપાળી ભાષિકોને ધર્મશિક્ષણ મળે તે માટે અમે નેપાળી સંકેતસ્‍થળનો આરંભ કરતા હોવાનું સનાતન સંસ્‍થાના રાષ્‍ટ્રીય પ્રવક્તા શ્રીચેતન રાજહંસે કહ્યું.

11 ઑગસ્‍ટના દિવસે ગોકુળાષ્‍ટમીના મંગળ પર્વ પર ‘ઑનલાઈન’ કાર્યક્રમ દ્વારા આ સંકેતસ્‍થળનું લોકાર્પણ કરવામાં આવ્‍યુંઆ સમયે ‘રાષ્‍ટ્રીય ધર્મસભા નેપાળ’ના અધ્‍યક્ષ ડૉમાધવ ભટ્ટરાઈ અને તેમનાં ધર્મપત્નીતેમજ નેપાળ સરકારમાંના માજી રાજ્‍યમંત્રી સૌકાંતા ભટ્ટરાઈના હસ્‍તે લોકાર્પણ થયુંઆ મંગળ પ્રસંગે હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્‍ટ્રીય માર્ગદર્શક સદ્‌ગુરુ ડૉચારુદત્ત પિંગળે પણ દેહલીથી ‘ઑનલાઈન’ ઉપસ્‍થિત હતા. આ પ્રસંગે બોલતી વેળાએ ડૉમાધવ ભટ્ટરાઈએ કહ્યું, ‘‘સનાતન સંસ્‍થાનું નેપાળી ભાષામાંનું સંકેતસ્‍થળ અમને પુષ્‍કળ ઉપયોગી થતું હોવાનું ધ્‍યાનમાં આવ્‍યુંતેની પુષ્‍કળ સહાયતા થઈ શકશેનેપાળમાં આ રીતના ધાર્મિક સંકેતસ્‍થળો ઓછાં છેઆ સંકેતસ્‍થળ કેવળ ધર્મ વિશેનું જ્ઞાન જ નહીંજ્‍યારે ‘હિંદુ રાષ્‍ટ્ર વિશે અમને સહુકોઈને દિશાદર્શન પણ કરશે.’’

આ સમયે બોલતી વેળાએ સદ્‌ગુરુ ડૉચારુદત્ત પિંગળેએ કહ્યું, ‘સંકેતસ્‍થળ પરની હિંદુ ધર્મશિક્ષણ ઇત્‍યાદિ જાણકારીના માધ્‍યમ દ્વારા ભારત અને નેપાળ આ દેશોમાંનું ધર્મબંધુત્‍વ દૃઢ થશેબન્‍ને દેશોમાં ચાલુ રહેલી ‘હિંદુ રાષ્‍ટ્ર સ્‍થાપનાની ચળવળ પણ આગળ ધપશે.’ હિંદી, મરાઠી, ગુજરાતી, અંગ્રેજી, કન્‍નડ, તેલગુ, તામિલ, મલયાલમ આ ભાષાઓમાં રહેલું આ સંકેતસ્‍થળ હવે નેપાળી ભાષામાં પણ ઉપલબ્‍ધ થયું છેઅધ્‍યાત્‍મ વિશેની શંકાઓનું નિરસન કરવા માટે ‘ઑનલાઈન’ સંપર્કની સુવિધા પણ આ સંકેતસ્‍થળ પર ઉપલબ્‍ધ છેસનાતનના સંકેતસ્‍થળ દ્વારા જિજ્ઞાસુઓએ સાધનાનો પ્રારંભ કર્યો અને પોતાનું જીવન આનંદી બનાવ્‍યું છેતેથી વધારેમાં વધારે જિજ્ઞાસુઓએ આ સંકેતસ્‍થળની મુલાકાત લઈને સાધનાનો આરંભ કરવોએવું આવાહન સનાતન સંસ્‍થા વતી કરવામાં આવ્‍યું છે.

સંકેતસ્‍થળની લિંક : www.Sanatan.org/nepali

Admin

Admin

9909969099
Right Click Disabled!