હું ભાજપનો કાર્યકર છું કોંગ્રેસની બાબતે ટિપ્પણી નહીં કરીશ : સિંધિયા

નાગપુર: ભાજપના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ જૂની પાર્ટીમાં હાલના નેતૃત્વ મંથન અંગે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો તે કોંગ્રેસની આંતરિક બાબત છે અને હું તેના પર ટિપ્પણી કરવા માંગતો નથી. હું ભાજપનો કાર્યકર છું અને અન્ય કોઈ રાજકીય પક્ષની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં ગુનાના રાજવી પરિવારના સિંધિયાએ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કે.બી. હેડગેવારીના મહલ વિસ્તારમાં આવેલા ઘરની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું.
નાગપુર પહોંચેલા સિંધિયાએ કહ્યું કે હેડગેવારનું નિવાસસ્થાન લોકો માટે પ્રેરણારૂપ છે.રાજ્યસભાના સાંસદે કહ્યું કે, “ડો. હેડગેવારે રાષ્ટ્રને સમર્પિત સંસ્થા (આરએસએસ) ની રચના કરી. આ નિવાસસ્થાન લોકોની પ્રેરણાનું સ્થળ છે. આ સ્થાન રાષ્ટ્રના હેતુ માટે ઊર્જા ઉત્પન્ન કરે છે આ વર્ષે માર્ચ મહિનામાં ૨૦ થી વધુ ધારાસભ્યો સાથે સિંધિયા કોંગ્રેસમાંથી બહાર નીકળવાના કારણે મધ્યપ્રદેશમાં કમલનાથની સરકારનું પતન થયું હતું અને ભાજપના સત્તામાં પાછા ફરવા સક્ષમ બન્યું.