સુરતમાં રાંદેર વિસ્તારમાં” રાજકીય આગેવાનોએ વોટ માંગવા ન આવવું” તેવાં બેનરો લાગ્યાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મત આપ્યા બાદ લોકોને ભૂલી જતાં નેતાઓ ની નિંદ ઉડાડવા માટે સ્થાનિક રહેવાસીઓ એ બેનર લગાવ્યાં છે નેતાઓએ ન આવવું એવા લખાણ સાથેનાં બેનર સુરત રાંદેર મોરાભાગળ ની દુર્ગાપુરી સોસાયટીમાં લાગ્યા છે રસ્તા અને વરસાદી ગટર બનાવવાની કામગીરી કરવામાં આવી ન હોવાથી રાજકીય આગેવાનોએ સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીં ના બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે સોસાયટીનાં વિરોધ બાદ આખા વિસ્તારમાં રાજકીય ગરમાટો આવી જતાં ચર્ચાનો વિષય બન્યો છે એટલું જ નહીં પણ રોડ- રસ્તા અને વરસાદી પાણીનાં નિકલમાં નિષ્ફળ ઉમેદવારો દોડતા થઈ ગયાં છે.
રીપોર્ટ : સુનિલ ગાંજાવાલા (સુરત)