અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબે નાઓ દ્રારા ગૂમ થયેલ તથા અપહરણ થયેલ બાળકો શોધી કાઢવા અંગેની તા.૦૬/૦૩/૨૦૨૧ થી તા.૦૬/૦૪/૨૦૨૧ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય અને અમરેલી જીલ્લામાં ગુમ થયેલ તથા અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે લાઠી પો.સ્ટે. ભાગ-એ ૧૧૧૯૩૦૩૪૨૦૧૦૬૨/૨૦૨૦ કલમ. ૩૬૩,૩૬૬ તથા પોકસો ૧૮ વિમુજબના ગુન્હાના કામે અટક કરવાના બાકી આરોપીને ભોગબનનાર સાથે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના સરતાનપુર ગામેથી શોધી કાઢેલ.
પકડાયેલ આરોપી :-
સુરેશભાઇ છગનભાઇ રવોલીયા ઉ.વ.-આશરે-૨૧ ધંધો-મજુરી રહે.મૂળગામ-દેરડી (જાનબાઇની) તા.લાઠી જી.અમરેલી હાલ-રહે-સરતાનપુર, ટોકકો સીરામીકની કંપની, દાતણીયા રોડ તા.વાંકાનેર જી.મોરબી વાળો તા.૨૪/૦૩/૨૦૨૧ ના રોજ મળી આવતા આગળની ઘટતી કાર્યવાહી કરવા લાઠી પોલીસ ને સોંપવા તજવીજ કરેલ.
આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતાં ફરતાં લીસ્ટેડ આરોપીને ભોગબનનાર સાથે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના સરતાનપુર ગામેથી શોધી કાઢેલ છે.