રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદ પડતા મૂરર્જાતી મોલાત્તોને જીવનદાન

અમરેલી જીલ્લાના રાજુલા શહેર સહિત તાલુકા ના વડલી ચારોડિયા ભેરાઇ સહીત અનેક ગામોમાં તેમજજાફરાબાદ શહેર સહિત મોટા માણસા. પાટી માણસા. લોર. ફાચરિયા માં વરસાદ પડતા મૂરર્જાતી મોલાત્તો ને જીવનદાન મળતા ખેડૂતોને વરસાદ ની હવે આશા બંધાઈ…
રાજુલા જાફરાબાદ તાલુકાના લોર ફાચરિયા માં વરસાદ પડતાં ગરમીથી લોકોને રાહત મળી અને રોડ રસ્તા ઉપરથી પાણી વહી ગયા હતા અને ખેતી ના પાક જેવા કે મગફળી કપાસ તલ સોયાબીન જેવા પાકોને પાણી મળતા મુરજાતિ મોલતને જીવંત દાન મળશે.હાલ આ ગામડા ઓમાં ખેતી માં લાઈટ હજી આવી નથી ત્યારે ખેતીમાં ખાસ પાણી ની જરૂર હતી તેવા સમયે જ વરસાદ પડતાં થોડા દિવસ સુધી પાક ને પાણી આપવા થી રાહત મળશે અને ખેડૂતોને હવે આશા જાગી છે. ઘણાં સમયથી વરસાદ થયો નથી અને આ મધા નક્ષત્ર બેસતા જ વરસાદ પડતા અને ખેડૂતોને મગફળી કપાસના પાક ને હમણાં પાણી ની ખાસ જરૂર હતી ત્યારે
આજ દિન સુધી ખેડૂતોને ખેતીવાડી વિસ્તારમાં પાવર ન હોવાના કારણે ખેડૂતો બેહાલ થઇ ગયા હતા ત્યારે આજ રોજ કુદરતે મહેરબાન કરતા ખેડૂતોના મુરજાતિ મોલાત ને જીવનદાન મળ્યું હતું જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી.
રિપોર્ટર :- મહેશ વરૂ – રાજુલા